સુરત જિલ્લાના માંડવી તાલુકાના નેશનલ પ્રેસ એસોસિએશનના પત્રકારો દ્વારા મામલતદાર માંડવીને આવેદનપત્ર અપાયું..

Share to



રિપોર્ટર….નિકુંજચૌધરી

માંડવી તાલુકાનાનવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોએશન દ્વારા સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોકસો અને આઇટી એકટ જેવી કલમો રદ કરવા બાબત માંડવી તાલુકાના મામલતદાર ને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિયેશન ના માંડવી તાલુકા પ્રમુખ ઇશ્વરભાઇ સોલંકી, ઉપ-પ્રમુખ હમીરસિંહ ચૌહાણ, તેમજ દીપેશ રામાનંદી, જતીન શાહ, નિકુંજ ચૌધરી, ચેતન ચૌધરી, બળવંત જોગી, જિતેન્દ્ર સોલંકી, ગોવિંદ ગામીત, પ્રતીક ચૌધરી પત્રકારો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું અને ભવિષ્યમાં પત્રકારો જોડે આવું કૃત્ય નહિ થાય જે અંગે ધ્યાન દોરવામાં આવ્યું.


Share to