* ઉધોગપતિ-પ્રવાસીઓ માટે ગાંધીનગરમાં સરકારે વાઇનની છુટ આપી
* સ્ટેચ્યુ ઓફ યુનિટી-સાપુતારામાં દારૂબંધી હટાવાનો નિણઁય સરકાર કરશે
નેત્રંગ તાલુકાના મૌઝા ગામે યોજાયેલ સેવાસેતુના કાયૅક્રમ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં યોજાયો હતો.જેમાં રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજાનાનો છેવાડાના ગામો સુધી પહોંચાડવા સાંસદે પદાધિકારીઓ-અધિકારીઓ સુચનો આપ્યા હતા.મોટીસંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા જણાવ્યું હતું કે,સાચો હિન્દુસ્તાની ૩૧ ડિસેમ્બરે નવાવષઁની ઉજવણી કરવી જોઈએ નહીં.કારણ કે ભારતીય સંસ્કૃતિ મુજબ નવુ વષઁ દિવાળીના તહેવારના બીજા દિવસે સુયૉદય થતાં જ થાય છે.અંગ્રેજોના સમયથી દેશભરમાં ૩૧ ડિસેમ્બરને નવા વષઁની ઉજવણી કરવાનું થોપી બેસાડવામાં આવ્યું છે.ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.ઉધોગપતિઓ-પ્રવાશીઓ ગાંધીનગર ગિફ્ટ સીટીની મુલાકાત કરે છે.તમામ મુલ્યાંકન-નિરીક્ષણ-મુલ્યાંકન બાદ વાઇનના સેવનની છુટ અમુક માત્રમાં આપવામાં આવી છે.દારૂના સેવન યુવાપેઢી માટે યોગ્ય નથી.ગુજરાત રાજ્યમા પ્રવાસન સ્થળ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારામાં દારૂબંધી હટાવાનો આખરી નિણઁય રાજ્ય સરકાર કરશે તેવું સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો