October 17, 2024

હાંસોટ ના માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્ર નું વીજળી પડવાથી ઘટના સ્થળે બંને નાં મોત નિપજ્યાં

Share to




હાંસોટ નવીનગરી અંભેટા રોડ પર પર રહેતા આદિવાસી ગરીબ પરિવાર ના  55 વર્ષીય ભૂરી બેન ઠાકોર રાઠોડ  માછીમાર નો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર 14 વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે માછીમારી કરવા ચાલતાં જઈ રહ્યા ત્યારે અચાનક વીજળી પડતાં બંને નાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં બીજા લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે આ બંને ને મૃત્યુ પામેલી હાલતમાં જોતાં ખાનગી વાહન ની મદદ થી બંને ના મૃતદેહ ને લાવતાં મૃતકના પરિવારજનો માં શોક ની લાગણી સાથે હૈયા ફાટ રુદન નાં દ્રશ્યો સર્જાયા હતા હાંસોટ પોલીસ ને ઘટના ની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ અન્ય તાલુકાનો હોવા છતાં માનવતા ની દ્રષ્ટિ એ મૃતકનો પોલીસ રિપોર્ટ બનાવવા નાં હોય તે તરત બનાવી પોસ્ટમોર્ટમ ની વિધિ તરત કરાવી પરિવાર જનોને મૃતદેહો સોપી દીધેલ હતાં આમ હાંસોટ પોલીસે મૃતક નાં પરિવારજનોને આકસ્મિક મોત અંગે સરકાર માંથી મળતી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં માનવતા દાખવી હતી 


Share to

You may have missed