જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને કરી તાકિદ
ભરૂચ- શનિવાર – ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક આજ રોજ જિલ્લા આયોજન કચેરી- ભરૂચના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર. જોષીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નો, પાણી નિકાલ અંગેના પ્રશ્નો, કાંશ સફાઈ તેમજ જાતિના દાખલા કઢાવવા પડતી મુશ્કેલી અંગેના વિવિધ પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે