પવિત્ર યાત્રાધામ પાલિતાણા મા આગામી શ્રાવણ માસ મા નીકળનારી રથયાત્રા પૂર્વ યોજનારા કાર્યક્રમ ની આમંત્રણ પત્રિકા નું વિમોચનપાલિતાણા ના પ્રિન્ટ મીડિયા,ઈલોક્ટ્રોનિક મીડિયા ના સો પત્રકાર મિત્રો ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Share to

તા. 10 ૮.૨૦૨૩



પાલીતાણા મા પરંપરાગત નીકળનારી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની રથયાત્રા ના આગમન ના ભાગ રૂપે શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા ધ્વરા પાલીતાણા હાઈસ્કુલ ના મેદાન મા યોજાતા સાસ્કુતિક કાર્યક્રમ ની પત્રિકા નું વિમોચન પ્રિન્ટ મીડિયા તેમજ ઈલોક્ટ્રોનિક મીડિયા પરિવાર ના પત્રકાર મિત્રો ના વરદ હસ્તે સાધુ સંતો અને આયોજક કાર્યકર મિત્રો ની ઉપસ્થિતિ મા કરવામાં આવ્યું હતું
આગામી જન્માષ્ટમી ના કાર્યક્રમ વિશે ભરતભાઈ રાઠોડ ધ્વરા જણાવામાં આવ્યું હતું કે આગામી તા.૨/૯ થી ૬/૯ સુધી સાંજે ૫ વાગ્યા થી કાર્યક્રમો યોજાશે જેમાં શ્રી કૃષ્ણ વંદના.ભવ્ય લોકડાયરો, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક લોક સાહિત્યકાર કલાકારો જોડાશે પાલીતાણા શહેર તાલુકા ની શાળા ના આશરે 500 થી વધુ વિધાર્થીઓ ધ્વરા ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમો, કરવામાં આવશે તેમજ ભવ્ય નદ ઉત્સવ ની ઉજવણી માં આંતર રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર ભાગીતળ રાસ ગરબા નું ૐ શિવ સંસ્થા ભાવનગર નું ગ્રુપ જોડાશે તેમજ હાઈસ્કુલ ના ગ્રાવુન્ડમા રાષ્ટ્રીય,ધાર્મિક, સામાજિક જેવા વિવિધ પ્રદર્શન પ્લોટ્સ રાખવામાં આવશે આ કાર્યક્રમ મા જોડાવા સો ભાવનગર જિલ્લા ની જાહેર જનતા ને આમંત્રણ આપવામાં આવશે એવી આખાબરી યાદી મા જણાવામાં આવ્યું છે.


Share to

You may have missed