September 7, 2024

ઝઘડિય‍ાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શંખેશ્વર મહાદેવ મંદિરનું ચોમાસા દરમિયાન ધોવાણ

Share to

નર્મદા નદીની તદ્દન નજીક આવેલ મંદિરની જગ્યાનું સંરક્ષણ દિવાલના અભાવે મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે

તાત્કાલિક સંરક્ષણ દિવાલ નહિ બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત ઉદ્દભવી છે…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. ત‍ાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. મળતી વિગતો મુજબ આ શંખેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું છે. આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે.

મંદિરના મહંતનો કરતા તેમણે જણાવ્યું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઇ રહ્યો છે. આમને આમ રહેશે તો બે ચાર ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં મંદિરની મોટાભાગની જગ્યા ધોવાઇ જશે અને આમ થતા મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી. આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઇ રહેલું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે. વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે ઘણી વાર લેખિતમાં રજુઆત પણ કરવામાં આવી હતી, તથા મીડિયા ના માધ્યમ થી પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ આ બાબતે હજુ કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે મંદિરનું થઇ રહેલું ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરુરી બની ગયું છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ના કિનારા ઉપર મોટી સંખ્યા માં અતિ પૌરાણિક મંદિરો આવેલ છે તેમાનું આ એક મંદિર આવેલુ છે જ્યાં નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ આવતા હોઈ છે માટે અહીંયા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.અગાઉ કેટલા સમય થી આ મંદિર નું ધોવાણ થઈ રહેલ છે અને ચાલુ ચોમાસા દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું છે ત્યારે મંદિરનું ધોવાણ થતું અટકાવવા તાકીદે આ સ્થળે તંત્ર દ્વારા કે કોઈક સામાજિક સંસ્થા દ્વારા સંરક્ષણ દિવાલ બનાવાય તે ઇચ્છનીય છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નર્મદા તટે રૂંઢ કૃષ્ણપરી ગામે આવેલ એક મંદિરનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હોવાની ઘટના બની હતી, ત્યારે નર્મદા તટે આવેલ જે પૌરાણિક મંદિરોની જગ્યાનું ધોવાણ થવાની સમસ્યા ઉદભવી છે ત્યાં તંત્ર દ્વારા અસરકારક આયોજનો કરીને આવા મંદિરોની જગ્યાનું ધોવાણ થતું અટકાવાય અને મંદિરો ને બચાવાય તે જરુરી છે….


Share to

You may have missed