October 15, 2024

ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ આંબાખાડી ગામે આવેલ ધોધ મા બે યુવકો ડૂબી જતા મોત..

Share to

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના આંબાખાડી ગામે આવેલ ત્રણ યુવકો ફરવા માટે આવ્યા હોઈ ગ્રામજનો ના જાણવ્યા અનુસાર જેઓ ખાડી મા આવેલ વૉટર ફોલ મા આ યુવકો નાહવા માટે પાણી મા ઉતર્યા હોઈ જ્યાં પાણી ઊંડું હોવાથી બે યુવકો ઊંડા પાણી માં ગરકાવ થઈ જતા લોકો ની મદદ વડે તેઓ ને બહાર કાઢ્યા હતા પરંતું આ યુવકો ને પાણી ઊંડું હોવાથી તેઓ ને બચાવી શક્યા ના હતા..

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા થી ત્રણ મિત્રો ધોધમાં નાહવા માટે આવ્યા હતા જેમાંથી બે યુવાનો જુગલભાઈ વૈકુંઠ ભાઈ પટેલ ઉંમર વર્ષ 19 અને નિરવભાઈ જયંતીભાઈ ઠાકોર નું ધોધ ના ઊંડા પાણી માં ડૂબી જતા મોત નીપજ્યું હતું.. આ બનાવ અંગે અંબાખાડી ગામના ગ્રામજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તેઓ ના મૃતદેહ ને હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ લખાઈ રહ્યું છે ત્યા આ બનાવ અંગે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાવા પામી નથી…જોકે રાજપારડી પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી તેવી વિગતો પ્રાપ્ત થઈ છે અને આ બાબતે યુવાનોના પરિવારજનો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે તેમજ
બંને યુવાનોના મૃતદેહ ને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.


Share to

You may have missed