(ડી.એન.એસ)મુંબઈ,તા.૧૦
બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મો સિવાય જાનથી મારી નાંખવાના જાેખમને લઈને પણ ચર્ચામાં બનેલો હતો. તેને ધમકી ભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો, જ્યારબાદ તેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે લોરેન્સ બિશ્નોઈની પણ પુછપરછ કરવામાં આવી રહી હતી. વળી, લાંબા સમયથી આ કેસની તપાસ કરી રહેલી મુંબ પોલીસના હાથમાં એક મોટી જાણકારી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અુસાર આ કેસમાં યુકેમાં ભણી રહેલાં એક વિદ્યાર્થીનું નામ સામે આવ્યુ છે. તે હરિયાણાનો રહેવાસી છે. પોલીસે આ મામલે તુરંત કાર્યવાહી કરતા લુકઆઉટ નોટીસ જારી કરી છે. મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મો સિવાય જાનથી મારી નાંખવાના જાેખમને લઈને પણ ચર્ચામાં બનેલો હતો. તેને ધમકી ભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો, જ્યારબાદ તેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે લોરેન્સ બિશ્નોઈની પણ પુછપરછ કરવામાં આવી રહી હતી. વળી, લાંબા સમયથી આ કેસની તપાસ કરી રહેલી મુંબ પોલીસના હાથમાં એક મોટી જાણકારી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અુસાર આ કેસમાં યુકેમાં ભણી રહેલાં એક વિદ્યાર્થીનું નામ સામે આવ્યુ છે. તે હરિયાણાનો રહેવાસી છે. પોલીસે આ મામલે તુરંત કાર્યવાહી કરતા લુકઆઉટ નોટીસ જારી કરી છે. સલમાન ખાનને માર્ચ મહિનામાં એક જાનથી મારી નાંખવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. જેમાાં ગોલ્ડી બરારનું નામ હતું. આ ઈમેલ એક્ટરના પરિવારનાં અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યો હતો. ગોલ્ડી બરારે કથિત રીતે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જણાવવામાં આવી રહ્યુ છે કે, સલમાન ખાનને ગોલ્ડી બરારના નામથી મેઇલ મોકલનાર કોઈ ગેંગ્સટર નહીં પરંતુ, એક યુકેનો મેડિકલ સ્ટુડેન્ટ હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે, મૂળ રુપે તે હરિયાણાના એક સ્ટૂડન્ટે એક્ટરને મેઇલ ત્યારે મોકલ્યો હતો, જ્યારે તે પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો હતો. આ કેસમાં મોટી અપડેટ હાથ લાગતા જ પોલીસે લુક આઉટ નોટીસ જારી કરી દીધી છે. મુંબઈ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, આ ધમકીભર્યા મેઇલ બાદ પોલીસે આ મામલે આગળ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, આ ધમકીભર્યા મેઇલ બાદ સલમાન ખાનની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. એક્ટરને સરકાર તરફથી રૂ કેટેરીની સિક્યોરિટી આપવામાં આવી હતી. આ સિવાય એક્ટરે પોતે પણ વિદેશથી બુલેટ પ્રુફ ગાડી મંગાવી હતી. સલમાન ખાન જાનથી મારી નાંખવાની ધમકી વચ્ચે પણ સતત ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે