તમામ હોટલ/ગેસ્ટી હાઉસ, મોટા રેસ્ટોપરન્ટર, બેંકીંગ સંસ્થાયઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીરપ્લેક્સ થિયેટર, કોમર્શિયલ સેન્ટરો સહિતના જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઇટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

Share to


ભરૂચ,સોમવાર :- જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટલ હાઉસ, મોટા રેસ્ટોેરન્ટં, બેંકીંગ સંસ્થા ઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીેપ્લેીક્સ થિયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાનઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સિસ્ટામ સાથે લગાડવા જાહેરનામામાં દર્શાવ્યા મુજબની સૂચનાઓને અનુલક્ષીને જરૂરી વ્યવસ્થા કરવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૬-૦૩-૨૩ થી દિન-૬૦ સુધી અમલવારી કરવાની રહેશે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ જીલ્લાઝમાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ૩ હાઉસ, મોટા રેસ્ટો રન્ટે, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટી પ્લેીકસ થીયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપો તથા હોટલો ઉપર તથા હાઇવે ઉપર આવેલ તમામ ટોલ પ્લામઝાઓ ઉપર વાહનનો રજીસ્ટ્રેંશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યાકિતનું વીડીયો રેકોર્ડીંગ થઇ શકે તેમજ બેંકિંગ સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા-જતા તમામ વ્યકિતઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા, નાઇટ વિઝન કેમેરા હાઇડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇડેફીનેશન) વિથ રેકોર્ડીંગ સીસ્ટ્મની વ્યવસ્થા કરવાની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્યા ના સંચાલકશ્રીની રહેશે. ઉપરોકત જણાવેલ સ્થળોની બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવા. ઉપરોકત જણાવેલ સ્થળોના પાર્કિંગની જગ્યા ઓમાં સંપૂર્ણ જગ્યાનનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા. રીસેપ્શગન સેન્ટઉર, લોબી, બેઝમેન્ટા તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય ત્યાા તમામ જગ્યાાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ ગોઠવવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.


Share to