September 7, 2024
Share to

ઝગડીયા – 08-02-23

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસનાવી અને જેસપોર ગામ વચ્ચે બે મોટરસાયકલ સામસામે અથડાતા બન્ને મોટરસાયકલ ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના નવાપરા ગામના અંબાલાલ કરશનભાઇ વસાવા તા.૬ ઠ્ઠીના રોજ મોટરસાયકલ લઇને અસનાવી ગામે ગયા હતા. ત્યાંથી પાછા ઘરે જઇ રહ્યા હતા ત્યારે અસનાવી અને જેસપોર વચ્ચે સામેથી આવતી એક મોટરસાયકલ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અંબાલાલભાઇ નીચે પડી ગયા હતા, અને બેભાન થઇ ગયા હતા. ત્યારબાદ તેઓ હોંશમાં આવતા તેમને નેત્રંગ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હાથ પર ફેક્ચર થયુ હોઇ તેમજ છાતીના ભાગે મુઢમાર વાગ્યો હોય અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

અન્ય મોટરસાયકલ ચાલક પ્રકાશભાઇ દાઉદભાઇ વસાવા રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયાનાને પણ જમણા પગે ફેક્ચર થયું હતું તેમજ માથાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માતની આ ઘટના સંદર્ભે અંબાલાલ કરશનભાઇ વસાવા રહે.નવાપરા તા.નેત્રંગનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed