જૂનાગઢ ના ભેસાણ તાલુકાની ગોરવિયાળી પ્રાથમિક શાળા હવે ત્રીજીવખતરાજ્યકક્ષાનાઓનલાઈનગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.અગાઉ પણ ગોરવિયાળી પ્રાથમિક શાળાનાં આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પણ પહોંચ્યાં હતાં.
જૂનાગઢ જિલ્લામાં યોજાયેલા ઓનલાઈનગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાં વિભાગ નં.- 4 માં વાયટ્રીસિટી નામની કૃતિમાં ભેસાણ તાલુકાની શ્રી ગોરવિયાળી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હવે આગામી રાજ્યકક્ષા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવા જશે. ત્યારે શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે. આ કૃતિમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વાયરલેસ ઉર્જા રૂપાંતરણનો સિદ્ધાંત રજૂ કરાયો હતો. જેનાથી ભવિષ્યમાં વધુમાં વધુ વાહનો વાયરલેસ ચલાવી શકાશે. આ કૃતિનું માર્ગદર્શન શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી ભાવેશભાઈ બી. ગજેરાએ કરેલ. હતી
આ અગાઉ પણ વર્ષ- 2006માં* શ્રી અમિતભાઈ બી. વાછાણીના માર્ગદર્શન હેઠળ પરાવર્તન અને વક્રીભવનનો જાદુ* કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી હતી. જે ભેસાણ તાલુકામાં પ્રથમ વખત રાજ્ય કક્ષાએ* ભાગ લીધેલ.
ત્યારબાદ વર્ષ- 2016 – 17માં* શ્રી ભાવેશભાઈ બી. ગજેરાના માર્ગદર્શન હેઠળ કાર્બન ડાયોક્સાઈડમાંથી ઉર્જા કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી હતી. જે પણ ભેસાણ તાલુકામાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ* ભાગ લીધેલ.
આમ,જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની ગોરવિયાળી પ્રાથમિક શાળાની કૃતિ ત્રણ-ત્રણ વખત રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. જેમાં એક વખત રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ છે. આ સિદ્ધિ બદલ શાળા અને શાળાના વિદ્યાર્થીઓ ,ગામના લોકો આગેવાનોમાં પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો