પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
અકસ્માત સર્જી નાશી છુટેલ આ વાહન ઓવરલોડ રેતી ભરીને જતું હોવાની ચર્ચાઓ જાણવા મળી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ભાલોદ ગામે એક અજાણ્યા વાહનની અડફેટે ૬૫ વર્ષીય વૃધ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું. અકસ્માત સર્જી આ વાહનચાલક નાશી છુટ્યો હતો. આ વાહન રેતીવાહક ટ્રક હોવાની પુરી સંભાવના જણાય છે. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાં રોજ સેંકડો ટ્રકો નર્મદાના વિશાળ પટમાંથી રેતી ભરીને બેફામ દોડતી હોય છે. નિયમોનો ભંગ કરીને દોડતી રેતીની ટ્કો વિરુધ્ધ તાલુકા જિલ્લાના જવાબદાર અધિકારીઓ કોઇ પગલા લેતા નહિ હોવાની વ્યાપક બુમો લાંબા સમયથી ઉઠવા પામી છે. આ ટ્રક ચાલકો જાણે કોઇનો ડર ના હોય એમ બેફામ રીતે પોતાના વાહનો દોડાવતા નજરે પડે છે. ટ્રકચાલકો બેફામ બન્યા છે.
સંબંધિત બધા અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાથી આવા વાહનોને છુટો દોર મળે છે. વધુમાં મળતી વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે થયેલા અકસ્માતમાં મરણ પામનાર આ વૃધ્ધા ચંચળબેન અંબાલાલભાઈ પરમાર મેઇન રોડ નજીક બેન્ક પાસે ઉભેલા હતા તે દરમિયાન બેફામ રીતે દોડી આવેલ આ વાહનચાલકે આ મહિલાને અડફેટમાં લેતા વૃધ્ધાનું મોત થયુ હતું. અકસ્માત સર્જી નાશી છુટેલ આ વાહન ઓવરલોડ રેતી ભરીને જતું હોવાની ચર્ચાઓ જાણવા મળી છે. અકસ્માત સર્જી આ વાહનચાલક નાશી છુટ્યો હતો. અકસ્માત સર્જનાર આ અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
More Stories
જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C.) ના ગુન્હાના બે આરોપીઓને અટક કરતી જુનાગઢ પોલીસ
જૂનાગઢમાં આજે ૨૧ ઓગષ્ટ પોલીસ શહીદ સ્મૃતિ દિવસે જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહિદ થયેલ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.સમગ્ર જૂનાગઢ પોલીસ દ્વારા શહિદ થયેલ પોલીસ જવાનોના બલિદાન, ફરજ નિષ્ઠા અને સેવાને નમન કરવામાં આવ્યા
છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ નો સપાટો જિલ્લાના અલગ અલગ વિસ્તારથી રેતી ખનન કરતા 02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 01 કરોડ અને 10 લાખ નો મુદ્દામાલ ઝપ્ત કરી કર્યો