September 6, 2024

જુઓ બેસતા નવાં વર્ષે યાત્રાધામમાં માનવ મહેરામણ ઉમટયો દાદાને સોનાનો શણગાર.

Share to


અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં આવેલાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરે લાંબા સમયબાદ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.
મંદિર પરિસરમાં આબેહૂબ રંગોળી આકષૅણનુ કેન્દ્ર બન્યું હતું.અને દાદાને સોનાના ઘરેણાથી સજાવટ કરી હતી.
મંદિર તરફથી ચાલતા ભોજનાલયમાં પણ પ્રસાદ માટે યાત્રિકોની મોટી લાઈનો લાગી હતી.રસોયાએ પણ બપોરના ૨:૦૦ વાગ્યા સુધી રસોઈ બનાવવાનું ચાલુ રાખી પ્રેમથી યાત્રિકોને જમાડ્યા હતા.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to