


જુનાગઢ રેન્જના આઈ.જી.પી.શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબ નાઓની સૂચના તેમજ જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવનાથ ખાતે શીવરાત્રી મેળા દરમીયાન અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલ કુલ ૨૧ મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા ૩,૧૩,૦૦૦/- ની છે તે મોબાઇલ ફોન શોધી કાઢી “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” દરમીયાન અરજદારોને તેમના મોબાઇલ ફોન પરત સોંપી આપેલ છે જે તમામ અરજદારોએ પોતાનો મોબાઈલ સહી સલામત પરત મળતા તેમણે ભવનાથ પોલીસ તથા જુનાગઢ પોલીસ નો આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી અનુભવેલ छे.
જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.પરમાર સાહેબ તથા ભવનાથ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એન.વી.રામ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.બી.અખેડ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ અરજણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ કાનાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવનભાઇ જીલુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીખુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ હમીરભાઈ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના ટેકનિકલ વિભાગના એ.એસ. આઈ કમલેશભાઈ કીડીયા વિગેરે પોલીસ સ્ટાફે કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો