


જુનાગઢ રેન્જના આઈ.જી.પી.શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબ નાઓની સૂચના તેમજ જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવનાથ ખાતે શીવરાત્રી મેળા દરમીયાન અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલ કુલ ૨૧ મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા ૩,૧૩,૦૦૦/- ની છે તે મોબાઇલ ફોન શોધી કાઢી “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” દરમીયાન અરજદારોને તેમના મોબાઇલ ફોન પરત સોંપી આપેલ છે જે તમામ અરજદારોએ પોતાનો મોબાઈલ સહી સલામત પરત મળતા તેમણે ભવનાથ પોલીસ તથા જુનાગઢ પોલીસ નો આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી અનુભવેલ छे.
જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.પરમાર સાહેબ તથા ભવનાથ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એન.વી.રામ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.બી.અખેડ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ અરજણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ કાનાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવનભાઇ જીલુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીખુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ હમીરભાઈ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના ટેકનિકલ વિભાગના એ.એસ. આઈ કમલેશભાઈ કીડીયા વિગેરે પોલીસ સ્ટાફે કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે રાત્રિના પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા માંગ.
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબ દ્વારા જૂનાગઢ પોલીસ નેત્રમ શાખાને CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવા બદલ સતત ૧૫ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ આપી કુલ ૨૦માં એવોર્ડથી સન્માનીત કરાયા
ઝઘડિયા ગ્રામ પંચાયતના કથિત ગેર વહિવટ બાબતે મહિનાઓ અગાઉ કરેલ રજુઆત છતાં કોઇ કાર્યવાહી નહિ? ઝઘડિયાના જાગૃત નાગરીકે મહિનાઓ અગાઉ આપેલ અરજીનો કોઇ જવાબ નહિ મળતા નાછુટકે આરટીઆઇનો આસરો લીધો !