તા.૦૯-૧૦-૨૦૨૪ નેત્રંગ.
ભરૂચ જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા વાલીયા-નેત્રંગ અને ઝઘડીયા તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે અભીયારણ બની ગયા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.અવરનવર દીપડાનું મનુષ્યજીવ ઉપર હુમલા અને નજરે પડવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે.થોડા દિવસો પહેલા જ નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની દસ વષીઁય દીકરી ઉપર જીવલેણ હુમલો કરતાં કરૂણ મોત નિપજ્યું હતું.ત્યારબાદ નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામમાં થોડા દિવસો પહેલા કદાવર દીપડાએ એક બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.જેમાં પાંજરે પુરાયેલ દીપડા થોડા દિવસ પહેલા એક બકરાનું મારણ કરતાં ગ્રામજનોએ ઝઘડીયા વનવિભાગને દીપડાને પાંજરે પુરવા માટે પાંજરૂ ગોઠવવાની રજુઆત કરી હતી.ઝઘડીયા વનવિભાગે પાંજરૂ ગોઠવી ગણતરીના દિવસોમાં જ દીપડો પાંજરામાં પુરતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વેવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,