ઈકરામ મલેક: રાજપીપળા
ત્રણ દિવસ અગાઉ તિલકવાડા તાલુકાના એક મહિલા ઉપર દીપડાના હુમલામાં મૌત નિપજ્યા બાદ શબ-વાહીની મુદ્દે AAP કાર્યકર્તાઓ અને નર્મદા જી.પંચાયત પ્રમુખ વચ્ચે ચડભડ થયા બાદ તિલકવાડા પોલીસે નર્મદા આપ ના 7 કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધી ગુન્હો દાખલ કર્યો હતો.
જેમાં ગઈકાલે 10 ઓક્ટોબર ની સાંજે આ પ્રકરણ મા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ના સોશિયલ મીડિયા પ્રભારી મોઈન દાયમાં ની પોલીસે અટકાયત કરી તિલકવાડા પોલીસ મથકે લઈ જવાય બાદ, આજે 11 ઓક્ટોબર ના ડેડીયાપાડા ના એમ.એલ.એ ચૈતરભાઈ વસાવા મોટી સંખ્યામાં સમર્થકો ને સાથે લઈ તિલકવાડા પોલીસ મથકે પહોંચતા ઉત્તેજના સર્જાઈ હતી.
જ્યારે કથિત રીતે ફરિયાદીએ આ FIR મામલે પોતે અજાણ હોવાનું કહેતા પોલીસ માટે ક્ષોભ જનક સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પોલીસ અને ચૈતરભાઈ વસાવા સહિત સમર્થકો વચ્ચે પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાયુ હતું, અને મોડી સાંજે પોલીસે AAP કાર્યકર્તા મોઈન દાયમાં ને તિલકવાડા મામલતદાર કચેરી રજૂ કરી જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
More Stories
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસે કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે.કા પ્રવૃત્તિ અંગે ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ