.*દૂરદર્શી ન્યૂઝ માંડવી સુરત.*
માંડવી તાલુકાના સઠવાવ ગામે છેલ્લા ઘણા દિવસોથી દીપડાના હુમલાઓથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. દીપડો પાલતુ પશુઓને નુકસાન પહોંચાડતો હોવાને કારણે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, અને આજે વહેલી સવારે દીપડાને પાંજરે પુરવામાં આવતાં ગામમાં આંશિક રાહત તો મળી પરંતુ, હજીયે ગામની સીમમાં ઘણા દીપડાઓની હાજરી હોવાનું જણાવતા ગામજનો માં દહેશતના માહોલ વચ્ચે રહેવા મજબૂર હોવાનું ગામજનો જણાવી રહ્યા છે.
માંડવી તાલુકાના સઠવાવ ગામમાં દીપડાના સતત વધતા હુમલાઓને લીધે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ખાસ કરીને પાલતુ પશુઓ પરના આ હુમલાઓને કારણે ગામમાં ગભરાટ અને દહેશત ની માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યાર બાદ ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા, બે દિવસ પહેલા ભિમસિંગ ચૌધરીના ઘરની બાજુમાં પાંજરું મુકવામાં આવ્યું હતું.આજ વહેલી સવારે પાંજરામાં દીપડો પૂરાતા ગ્રામજનોને આંશિક તો રાહત મળી છે. પરંતુ હજીયે ઘણા દીપડાઓ ગમજનોએની નજરે ચઢ્યા હોય ત્યારે, ગ્રામજનો ના કહ્યા અનુસાર હજીયે દહેશત તડી નથી.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો