Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જૂનાગઢ ચાપરડા સુરૈવધામ ખાતે સંતશ્રી મુકતનંદ બાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણીમા અવસરે ગુરૂવંદનાનું ભાવ સભર આયોજન

Share to

જૂનાગઢ ઇશ્વર દર્શન માટે ગુરુકૃપા જોઈએ અને ગુરુકૃપા માટે ઇશ્વરકૃપા જોઈએ, જીવનમાં એક સાચો ગુરુબોધ, એક ઇશ્વર બરાબર છે. ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે. ગુરુ મુખે જ્ઞાાન પમાય, ગુરુની સેવાથી જ્ઞાાન અને યોગથી શાંતિ મળે છે. ગુરુશ્ચર્યા જ્ઞાાનં શાન્તિં યોગેન વિન્દતિ- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી, કુલપતિ
જૂનાગઢ તા.૨૨, અષાઢ મહિનાની પૂર્ણિમાનો દિવસ પરંપરાગત ગુરુપૂર્ણિમાના અવસર તરીકે ઉજવવામાં આવે છે. સાથે મહર્ષિ વ્યાસજીને યાદ કરવાનો અવસર પણ છે.જૂનાગઢ જિલ્લાનાં ચાપરડા સૂરૈવાધામનાં સંતશ્રી મુક્તાનંદજી બાપુની નિશ્રામાં ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ સંતશ્રીની ગુરૂવંદના કરી આશિષ મેળવ્યા હતા.
ગુરૂપૂર્ણિમાં પર્વની મહત્વતા વર્ણવતા ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ગુરૂરૂપી જ્ઞાનનો પ્રકાશ હંમેશા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. મનુષ્ય જીવન ગુરુઓનનાં શાણપણ, કરુણા અને માર્ગદર્શન માટે આભારી છે. ગુરુઓના ઉપદેશો વ્યક્તિને જીવનમાં મહાનતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. ગુરુઓની દૈવી કૃપા હંમેશા જીવનને સદાચારના માર્ગ તરફ દોરી જાય તેવી હોય છે. ગુરુઓના આશીર્વાદ તમામ પડકારોને દૂર કરવા માટે શક્તિ આપે છે,ગુરૂવંદનાનાં અવસરે આપણા ગુરુઓની શાણપણ અને ઉપદેશોનું સન્માન કરીએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા જ્ઞાન અને શાણપણના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ ગુરુઓને વંદન કરીએ
આ તકે મુક્તાનંદ બાપુએ શિષ્યવૃંદ અને શ્રાવકોને સંબોધતા જણાવ્યુ હતુ કે પંચાંગ જોઇએ તો ખ્યાલ આવે કે આપણી સાંસ્કૃતિક પરંપરા કેટલી મહાન છે. એક પણ પૂનમ એવી નથી કે એ દિવસે કોઈ તહેવાર ન હોય. દેવ દિવાળી, હોળી, હનુમાન જયંતી, બુધ્ધપુર્ણિમા, રક્ષાબંધન, કબીર જયંતી, પોષી પુનમ વગેરે તે જ રીતે અષાઢી પૂનમ ગુરૂ વંદનાનો અવસર છે. મનુષ્ય જીવનમાં ગુરુ મહિમા અપરંપાર હોય પ્રસ્થાપિત પરંપરા છે, વેદ કાળથી છે શ્રી રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્ર, શ્રી કૃષ્ણ-સુદામાના ગુરુ સાંદિપની, શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદાચાર્ય, કબીર સાહેબના ગુરૂ રામાનંદ,પાંડવોના ગુરૂ દ્રોણાચાર્ય, વિવેકાનંદજીના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ, દત્તાત્રેયના ૨૪ ગુરુ હતા. શીખ ધર્મમાં તો ગુરુ નાનકજીથી અદ્યાપિ એક આખી ગુરુ પરંપરા પ્રસિદ્ધ છે, જૈન ધર્મના નવકારમંત્રમાં પ્રચ્છન્ન ગુરુવંદના છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનના ગુરુ સ્વયં શ્રીકૃષ્ણ છે. જીવનમાં અજ્ઞાનના અંધકાર દૂર કરે સાથે પ્રેરણા અને માર્ગદર્શન સાથે ઈશ્વર સાક્ષાત્કારનો માર્ગ શીખવે એ ગુરુ છે. વિદ્યાર્થી કાળે વિદ્યાભ્યાસ દ્વારા જીવન પ્રગતિમય અને સંસ્કારસભર બનાવે એ ગુરૂ છે. આવો આ અવસરે ગુરૂવંદનામાં સામાજીક કુરીવાજો, અંધશ્રધ્ધા ત્યજી વ્યસનમુક્ત બની શ્રેષ્ઠ સમાજનાં નિર્માણ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિનાં શિખરે પહોંચાડવા યોગદાન આપીએ.આ પ્રસંગે યુનિ.નાં રજિસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયા, પણ ગુરૂવંદનામાં જોડાયા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top