જૂનાગઢ જિલ્લા lના વંથલી તાલુકાના નવલખી મુકામે વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા વાઘેલા પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનવા માટેનો એક સન્માન સમારોહ નું આયોજન થયેલ હતું આ સન્માન સમારોહ નું આયોજન વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ નવલખી ના કર્મચારી શ્રી ચુનીલાલ વાઘેલા રાહુલ વાઘેલા હરેશભાઈ વાઘેલા અને ચીમનભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાઘેલા પરિવારના વર્ષ -2024 મા વિવિધ પરીક્ષાઓ મા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કુલ 11 વિદ્યાર્થીઓને વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર, દફતર, કંપાસ બોક્સ નાસ્તા બોક્સ, નોટબુક, પેન જેવી અધ્યયન ને લગતી કીટ આપી વાઘેલા પરિવારનાના વડીલો હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ કરવા પાછળ નો ઉદેશ્ય વિદ્યાર્થીઓ આગળ વધુ સારો દેખાવ કરી અભ્યાસમા આગળ વધી પોતાના જીવનને વધુ સારુ બનાવે, પરિવાર, સમાજ અને દેશના ઉત્થાન મા પોતાનું યોગદાન આપે તે છે. આ કાર્યક્રમની અંદર પરિવારના તમામ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ તકે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપના કર્મચારી સદસ્યશ્રીઓ ચુનીલાલ વાઘેલા, રાહુલભાઈ વાઘેલા, હરેશભાઈ વાઘેલા, અને ચીમનભાઈ વાઘેલા એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સોશ્યોલોજી એન્ડ સોશ્યલવર્ક વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોનેGST વિભાગે ઝડપી લેતા.
જૂનાગઢના ખડિયા ગામે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી .દ્વાર આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો