જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુન્હા નો આરોપી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે અમદાવાદ કાંકરીયા તળાવે થી ડબોચ્યો

Share to



જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહરાના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા-ફરતા/પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અન્વયે લોકલ કાઈમ બ્રાચના પો.ઈન્સ  જે.જે. પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ વાય પી.હડિયા સાહેબની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના માાણસો હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢની ટીમના એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ દિનેશભાઇ છૈયા નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે જુનાગઢ જિલ્લાના કેશોદ પો.સ્ટેમાં પ્રોહી.કલમ મુજબના ગુન્હાના કામનો આરોપી સચીનભાઈ રાજુભાઈ થારાણી  નાલંદા સ્કુલ સામે વાળો છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય અને હાલ તેઓ અમદાવાદ શહેર કાકરીયા તળાવ ગેઇટ નં-૦૩ આસપાસ હોય તેવી હકિકત મળતા તાત્કાલીક પરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ જઈ ખાત્રી કરી આરોપીને ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએથી શોધી કાઢી હસ્તગત કરી જુનાગઢ જીલ્લાના કેશોદ પો.સ્ટેને ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે

લોકલ કાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર  જે.જે.પટેલ, પેરોલ ફૂલો સ્કોડના પો.સ.ઇ. વાય.પી.હડીયા તથા એ.એસ.આઇ. ઉમેશભાઈ વેગડા પો.કોન્સ. દિનેશભાઈ છૈથા તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઈ પોલીસ સ્ટાફ દ્વારા સચીનભાઇ રાજુભાઇ થારાણી  નાલંદા સ્કુલ સામે જુનાગઢ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed