નેત્રંગમાં ચાલુ વીજપુરવઠાના (G.E.B) વાયરોની ચોરીથી ખળભરાટ

Share to



* સતત બે દિવસમાં ૧૨૦૦ મીટરથી વધુ વાયરો ચોરાયા

* ખેડુતોને વીજપુરવઠો નહીં મળતાં ઉભા પાકમાં ભારે નુકસાન અનુમાન

તા.૦૧-૦૨-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાં આવેલ રાઇશ મીલની બાજુમાં આવેલ ખેતરમાંથી રાત્રીના અંધકારના સમયે અજાણ્યા ઇસમો ચાલુ વીજટ્રાન્સફર એટલે કે TC ની ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.વીજટ્રાન્સફરમાંથી એલ્યુમિનિયમ સહિત કિંમતી ઘાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઇ ગયા હતા.તેજ રાત્રી કેલ્વીકુવા બેડોલી રોડ ઉપરથી ચાલુ વીજપુરવઠાના ૬૦૦ મીટરથી વધુ વાયરોની ચોરી કરવામાં આવ્યા હતા.ત્યારબાદ તેના બીજી રાત્રી કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી ફરીવાર ૬૦૦ મીટરથી વધુ વીજપુરવઠાના વાયરોની ચોરી થતાં ખળભરાટ મચી જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે,સતત બે દિવસમાં ૧૨૦૦ મીટરથી વધુ વીજપુરવઠાના વાયરો ચોરી થતાં તેની સીધી અસર વતૉઇ રહી છે.નેત્રંગ તાલુકાના ખેડોતોની સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે દિન-પ્રતિદિન હાલત ફકોડી બની રહી છે.ઘઉં-શેરડી જેવા કાળીમજુરી કરીને ઉભા કરેલ પાકને જરૂરિયાતના સમયે જ સિંચાઈ માટેનું પુરતું પાણી નહીં મળી શકવાના કારણે ખેડુતોમાં આક્રોશ જણાઇ રહ્યો છે.આગામી સમયમાં દ.ગુજરાત વીજકંપની અને પોલીસતંત્ર સંકલન કરીને વીજપુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા ઇસમોને પકડી જેલભેગા કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to