Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જૂનાગઢનાં બગડુ ગામે લોકકલ્યાણના સમણાને સાકાર કરવાનો સરકારનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામજ નોએ વડાપ્રધાનશ્રીના સંવાદને વર્ચુઅલ માધ્યમથી નિહાળ્યો

Share to



જૂનાગઢ , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે જૂનાગઢ જિલ્લામાં લોકસેવાનું મહત્વનું માધ્યમ બની રહી છે. જે અંતર્ગત આજે જૂનાગઢ તાલુકાનાં બગડુ અને માળીયા હાટીના તાલુકાનાં બુધેચા ગામે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવાદને લાભાર્થીઓએ વર્ચુઅલ માધ્યમથી નિહાળ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા બગડુ ગામે પહોંચતા ગામનાં સરપંચશ્રી શારદાબેન વેકરીયા તથા તાલુકા પંચાયતનાં સદસ્યશ્રી મહેન્દ્રભાઇ ડોબરીયા, જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવાસીયા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર કુંમકુમના તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી શારદાબેન વેકરીયા તથા તાલુકા પંચાયતનાં સદસ્યશ્રી મહેન્દ્રભાઇ ડોબરીયા, જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવાસીયા ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તે સાથે ૧૦૦ ટકા જલ જીવન મિશન સંતૃપ્તિ થયે કલેકટરશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓનો લાભ અંતિમ વ્યકિત સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, લીડબેંકનાં ગણપત રાઠવા, નાબાર્ડનાં કિરણ રાઉત, સંકલીત બાળ વિકાસ યોજના અધિકારી દુધીબેન પટોળીયા, અગ્રણીઓ સર્વશ્રી રામજીભાઇ ડોબરીયા, રામજીભાઇ રાબડીયા સહિત ગ્રામજનો, હોદેદારો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ યોજનાકીય લાભથી જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજુ કર્યા હતા.
બગડુગામનાં ભુરાભાઇનામનાં સદગૃહસ્થે જણાવ્યુ હતુ કે મારા પગમાં અકસ્માતે અસ્થિજન્ય તૃટીઊભી થતાં મારે ઓપરેશન કરાવવાની નોબતઆવી પરંતુ મારા માટે આયુષમાકાર્ડ આશિર્વાદરૂપ બનતા ઓપરેશનનો સઘળો ખર્ચ સરકારશ્રી દ્વારા પુરાંત થતાં મારા પરીવાર પર અકસ્માતે આવી પડેલખર્ચની આફત નિવારી શકાઇ છે. આયુષ્માન ભારત યોજના ગરીબ પરિવાર માટે સુરક્ષા કવચ છે
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમારે ગ્રામજનો સાથે સંવાદ સાધી વાત ચિત દરમ્યાન જણાવવ્યુ હતુ કે આયુષ્માન કાર્ડસહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
‘ધરતી કરે પુકાર કે’ થીમ અંતર્ગત ગ્રામજનોએ પરંપરાગત પ્રકૃતિક ખેતપધ્ધતિ અપનાવી કૃષિ કાર્ય દ્વારા ઉત્પાદકતા વધવા સાથે આર્થિક ઉન્મુલન અંગે પ્રેરક સંદેશો નુક્કડ નાટકના માધ્યમથી નિહાળ્યું હતું. આ તકે ગ્રામજનોએ કાર્યક્રમના સ્થળે ઉભા કરાયેલા આરોગ્ય અને આઇસીડીએસ વિભાગ દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને લાભાન્વિત થયા હતાં.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top