September 7, 2024

ગુમ થનાર એ વ્યક્તિની ભાળ મળ્યેથી પોલીસને જાણ કરવા અનુરોધ

Share to


રાજપીપલા, સોમવાર:- રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગુમ જાણવા જોગ નં.૩૭/૨૦૨૩ના કામે ગુમ થનાર ભદ્રેશભાઈ ઉર્ફે રોની દિનેશભાઈ બારીયા ઉ.વ.૩૭ રહે.પોઇચા, ડેરીવાળુ ફળિયું તા.નાંદોદ જી.નર્મદા નાઓ તા.૨૩/૦૯/૨૦૨૩ના બપોરના આશરે ૧૩/૦૦ વાગ્યે પોતાના ઘરે પોઈચાથી રાજપીપલા ખાતે પાસપોર્ટ કઢાવવા માટે જાઉ છું તેમ કહી ફરચુનલ ફોર વ્હિલ ગાડી નં-GJ-22-P- 5454ની લઈને કોઇને પણ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે તેના શરીરે મજબુત બાંધો રંગે ઘઉં વર્ણના તથા મોઢું ગોળ તથા તેની ઉંચાઈ આશરે સાડા પાંચ ફુટની છે. તથા તેઓના જમણા હાથ ઉપર અશોક સ્તંભનું ચિત્ર દોરાવેલ છે. તેના શરીરે સફેદ કલરનો ટુંકી બાયનો શર્ટ તથા કમરે કથ્થઈ કલરનો પેન્ટ પહેરેલ છે. અને તેઓ ગુજરાતી તથા હિંદી ભાષા બોલી સમજી શકે છે. તેમજ તેમની ઉંચાઇ આશરે સાડા પાંચ ફુટ જેટલી છે.તેથી આ ગુમ થનાર વ્યક્તિની ભાળ મળ્યેથી રાજપીપલા પોલીસ સ્ટેશને જાણ કરવા જાહેર અનુરોધ કરાયો છે.  


Share to

You may have missed