September 7, 2024

ઝઘડિયા તાલુકાના ખાલક ગામની સીમમાંથી વલા ગામના યુવકનો કુવામાંથી મૃતદેહ મળ્યો

Share to

ખાલક ગામની સીમના એક કુવામાં તરતો યુવકનો મૃતદેહ મળ્યો હતો…

ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વલા નવીનગરી ખાતે રહેતા સુખદેવ અશ્વિનભાઇ વસાવા નામના ૩૭ વર્ષીય યુવકના પરિવારજનો ગઇ તા.૨૪ મીના રોજ સવારે ગામના મજુરો સાથે શીર ગામે મજુરી માટે ગયા હતા. સાંજના 6 વાગ્યાના અરસામાં તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે સુખદેવ ઘરે હાજર નહતો. પરિવારજનોને લાગ્યુ કે તે અસ્થિર મગજના કારણે અગાઉ પણ કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી જતો રહ્યો હતો, તે મુજબ આજે પણ જતો રહ્યો હશે.એમ સમજીને પરિવારજનો જમીને સુઇ ગયા હતા.

ત્યારબાદ બીજા દિવસે સાંજે તેઓ મજુરી કામેથી પાછા આવતા હતા ત્યારે ખબર મળી હતીકે ખાલક ગામની સીમના એક કુવામાં કોઇની લાશ તરે છે. ત્યાં જઇને જોતા કુવાની બહાર સુખદેવના ચંપલ પડેલા હતા, અને કુવામાં જે મૃતદેહ હતો તેના કપડા પણ સુખદેવે પહેર્યા હતા તેવા હોઇ આ મૃતદેહ સુખદેવનો હોવાની ખાતરી થઇ હતી.તેથી મૃતદેહને બહાર કાઢીને પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો લઇને ઉમલ્લા સરકારી દવાખાને પીએમ માટે મોકલ્યો હતો. ઉમલ્લા પોલીસ દ્વારા ઘટના સંદર્ભે અશ્વિનભાઇ જીવણભાઇ વસાવા રહે.વલા ની ફરિયાદ નોંધી ઉમલ્લા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…


Share to

You may have missed