Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

કર્ણાટકના કલબુર્ગીમાં રોડ શો પહેલાં પીએમ મોદીએ બાળકો સાથે કરી વાત

Share to


(ડી.એન.એસ)કલબુર્ગી,તા.૦૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ને લઈને રાજ્યના પ્રવાસે છે. પીએમ મોદી કલબુર્ગીમાં રોડ શો પહેલા બાળકોને મળ્યા હતા. વડાપ્રધાન બાળકો સાથે ખૂબ જ રમુજી અંદાજમાં જાેવા મળ્યા. પીએમ મોદીએ બાળકોની સામે આંગળીઓ વડે ઘણી એક્શન કરી. બાળકોએ તે જાેયું અને તેનું પુનરાવર્તન કર્યું. વીડિયોમાં જાેઈ શકાય છે કે પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે? એક બાળકે જવાબ આપ્યો કે તે પોલીસ બનવા માંગે છે. તો અન્ય એક બાળકે કહ્યું કે તે ડોક્ટર બનવા માંગે છે. આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે શું કોઈ વડાપ્રધાન બનવા નથી ઈચ્છતું. તેના પર એક બાળકે કહ્યું કે તેને તમારા જેવું બનવું છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કલબુર્ગીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોએ વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ આતંકનો અને આતંકવાદીઓના તુષ્ટિકરણનો છે. જ્યારે દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું ત્યારે આતંકવાદીઓના મોતના સમાચાર સાંભળીને કોંગ્રેસના સૌથી મોટા નેતાની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક થઈ ત્યારે કોંગ્રેસે દેશની સશસ્ત્ર દળોની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે તેની વોરંટી ગુમાવી દીધી છે, કોંગ્રેસની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. એવામાં વોરન્ટી વિનાની કોંગ્રેસની ગેરન્ટી પણ એટલી જ ખોટી છે અને ખોટી ગેરન્ટીઓનો કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ ખૂબ જૂનો છે. પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસ અને જેડીએસ બંનેથી સાવધાન રહેવું પડશે. કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પક્ષો છે, પરંતુ તે બંને હૃદયથી અને તેમના કાર્યોથી સમાન છે. આ બંને પરિવારવાદી છે, બંને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને બંને સમાજમાં ભાગલા પાડવાનું રાજકારણ કરે છે. કર્ણાટકનો વિકાસ આ બંને પક્ષોની પ્રાથમિકતા નથી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top