Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘ફ્યુચર ઓફ લર્નિંગઃ ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન-સત્રમાં ઉપસ્થિતિ

Share to



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ, યુવાશક્તિના આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને સ્કીલફુલ બનાવી ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ – રાજ્યમાં યુવાનોની તાલીમબદ્ધતા અને વર્લ્ડ ક્લાસ શિક્ષણને વેગ આપવા બજેટમાં શિક્ષણ વિભાગ માટે આ વર્ષે ૪૩,૬૫૧ કરોડ રૂપિયાની જાેગવાઈ – ફ્યુચર લર્નિંગના પડકારો અને ઉપાયોનું સામુહિક વિચારમંથન ત્રણ દિવસમાં અનંત નેશનલ યુનિવર્સિટીમાં થયું, તે ‘રાઈટ જાેબ એટ રાઈટ ટાઈમ’ – ભારતની સૌપ્રથમ ડિઝાઈન એક્સ યુનિવર્સિટી-અનંત નેશનલ યુનિવર્સિટી અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીનું સંયુક્ત આયોજન

‘ફ્યુચર ઓફ લર્નિંગઃ ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે,ટેકનોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે જૂની થઈ જાય છે. ફ્યુચર લર્નિંગ કેવું હોય, તેની સામેના પડકારો શું છે, તેના ઉપાયો શું હોય, તેનું સામુહિક વિચારમંથન અનંત નેશનલ યુનિવર્સિટીએ યોજ્યું તેને તેમણે ‘રાઈટ જાેબ એટ રાઈટ ટાઈમ’ ગણાવ્યું હતું. ૨૮થી ૩૦ માર્ચ દરમિયાન અનંત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ફ્યુચર ઓફ લર્નિંગઃ ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ માં દેશ-વિદેશના ૩૦ જેટલા ડેલિગેટ્‌સ સામેલ થયા હતા. જેમાં શિક્ષણવિદો, વહીવટકર્તાઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોએ સાથે મળીને મંથન કર્યું હતું. સંશોધનને સમયની માંગ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે રોજ નવાં સંશોધનો આવિષ્કારોની ભરમાર આવે છે. જાે તેની સાથે ના ચાલીએ તો પાછળ રહી જઈએ અને વિશ્વના પ્રવાહો સામે વામણાં લાગીએ. તેમણે કહ્યું કે, આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને યુવાશક્તિના આ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ને સ્કીલફુલ બનાવી ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન મોદીના વિઝન વિશે જણાવતા તેઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનાવવાની નેમ છે. આ નેમ ને આગળ વધારતા ગુજરાત સરકારે બજેટમાં શિક્ષણ વિભાગ માટે આ વર્ષે ૪૩,૬૫૧ કરોડ રૂપિયાની જાેગવાઈ કરી છે. જેનાથી રાજ્યમાં યુવાનોની તાલીમબદ્ધતા અને વર્લ્ડ ક્લાસ શિક્ષણના અવસરોને વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપતી અને સેક્ટર-સ્પેસિફિક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ-યુનિવર્સિટીઝ વિકસાવી છે. નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, મેરિટાઇમ યુનિવર્સિટી તેના ઉદાહરણો છે. એમ તેમણે ઉમેર્યું હતું. અનંત યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સંયુક્ત ઉપક્રમે થયેલા આયોજનની મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે,ગુજરાતમાં આવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ સાથે જાેડાણ કરવાની અને ઘરઆંગણે વર્લ્ડક્લાસ એજ્યુકેશનની પરિપાટી આપણે પાડી છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની ડીકેન યુનિવર્સિટી સાથે ગિફ્ટ સિટીમાં કેમ્પસ શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા છે એમ તેમણે કહ્યું હતું. સમાપન સત્રના આરંભે અનંત નેશનલ યુનિવર્સિટીનાં ડૉ.અનુનય ચૌબેએ આ ત્રિદિવસીય ચિંતન શિબિરનો હેતુ સ્પષ્ટ કરવાની સાથે તારણો રજૂ કર્યા હતા. ચર્ચાસત્રો બાદ નીકળેલા તારણો અને સૂચનોનું દસ્તાવેજીકરણ કરીને આગામી દિવસોમાં ેંય્ઝ્રને સત્તાવાર રિપોર્ટ સોંપવામાં આવશે. આ વેળાએ અમેરિકા, કેનેડા, સ્પેન, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન, ઈરાક, કતાર, મોરેશિયસ વગેરે દેશોમાંથી પધારેલા મહેમાનો ઉપરાંત હડપ્પા એજ્યુકેશન, ૈંૈંસ્ અમદાવાદ જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને દ્ગય્ર્ંના પ્રતિનિધિઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top