લાઠી તાલુકાના દેવળીયા અને કેરીયા ગામનાં માલધારી સમાજના લોકો ગૌચરની જમીનમાં પોતાનાં ઢોર ચરાવી રહ્યા હતા તે સમયે ઓચિંતા લાઠી તાલુકાના દુધાળા ગામના ઉધોગપતિ સવજીભાઈ ધોળકીયા ના માણસો ઈટાચી, જેસીબી.અને ડંમ્મપરો લઈ આવી માટીનુ ખોદકામ કરી માટી ખોદવાનું શરૂ કરતાં માલધારી સમાજ એકઠો થયો હતો અને કામ બંધ કરાવ્યું હતું.
આ સમયે લાઠી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડવા તંત્ર દ્વારા ઉધોગપતિને છાવરવામાં આવતા હોવાનું માલધારી સમાજ આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.
ઉધોગપતિ સવજીભાઈ ધોળકીયા અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલા છે.અને તળાવ અને નદી ઉંડા કરવાના બહાને પોતાના નામ ના બોડૅ લગાવવામાં આવી રહ્યા છે અને સરકારી જમીનમાં મનફાવે તેમ પોતાનુ સામ્રાજ્ય જમામી રહ્યા છે.નદીના કાંઠે ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા એ જમીન ખરીદી કરેલ છે અને ખનીજ ચોરી કરી તેમના ખેતરમાં ઠલવાઈ રહી છે.સરકાર દ્વારા આ સ્થળે આવી કોઈ મંજૂરી આપી છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.
અગાઉ મુતિૅ તોડવાના ષડયંત્ર માં લાઠીના ધમેૅશ સોનીનુ નામ પણ સામેલ હતુ એજ વ્યક્તિ આ ખનિજ ચોરીમાં હોય તેવું જણાય રહ્યું છે.રાજકીય ફોન કરાવી અધિકારીને ખાનગી ચચાૅ કરવાને બહાને એક તરફ લઈ જઈ ભીનું સંકેલવા કોશિશ કરી રહ્યા હોય તેવું વિડિયોમા સ્પષ્ટ દેખાય છે અને પોલીસ ના એક જવાન કહી રહ્યા છે કે તેની ખાનગી વાત હોય કોઈ જતા નહીં.
હાલમાં તમામ વાહનો ઉપર રોક લગાવી દીધી છે ત્યારે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ શું કાયૅવાહી કરે છે તે જોવાનું રહ્યું.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો