ગીર ગઢડામાં ભૂતકાળમાં ખાતેદાર ખેડૂતો ને આઠ કલાક વિજ પુરવઠો આપવાની જોગવાઈ હતી તેમાં સુધારો કરી ખાતેદાર ખેડૂતને સરકાર દ્વારા હાલ છ કલાક વિજળી આપવામાં આવી રહી છે ગીર ગઢડા માં છેલ્લા પાંચેક વર્ષથી ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની ગયેલ છે કાંતો અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પોતાની જમીનમાં ઉપજ મેળવી શકતા નથી ઉપરાંત ખાતર બિયારણ,જંતુનાશક દવાઓના ભાવો આસમાને પહોંચી ગયા છે અને મહેનતના પ્રમાણમાં ખેડૂતોને વળતર પણ મળતું નથી આ છ કલાક વિજળી મા પણ પુરતી લાઈટ આપવામાં આવતી નથી તેમા પણ ખેડૂત જ્યા નાકા પર પહોંચે ત્યાં લાઈટ ગુલ થઈ જાય છે આવા સંજોગોમાં ખેડૂતો પોતાની જમીન વેચવા મજબૂર બની રહ્યા છે અને આ છ કલાક વિજળી આપવામાં આવી રહી છે સરકાર ની આ નીતિ અને તેના કારણે સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાનો સુર વ્યક્ત થઈ રહીયો છે આ તમામ સ્થિતિ જોતા સરકાર દ્વારા ખેડુત ને ફ્રી વિજળી આપવાને બદલે આંઠ કલાક માથી છ કલાક કરી દેવામાં આવી છે ખેડુત ની બે કલાક વિજળી કાપવાને બદલે મોટી મોટી કંપનીઓ ની ફક્ત પંદર મિનિટ લાઈટ કાપવામાં આવે તો ખેડુત ને આ કપરા સમયમાં થી ઉગારી સકાય તેમ છે જગતના તાત ને આંઠ કલાક વિજળી આપવામાં આવે તેવી મનુભાઈ કવાડ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી
*રિપોર્ટર. વિશાલ ચૌહાણ દ્વારા ઉના. ગીર ગઢડા*
Khabar Ek dum Sachi
More Stories
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસે કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે.કા પ્રવૃત્તિ અંગે ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.