તક્ષશિલા અને પતંજલિ સ્કુલ અને કોલેજમાં ગુજરાતના હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ મુલાકાત લીધી હતી.ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતા ‘ ફાટેલી નોટ ‘ પાઠના લેખકે વિદ્યાર્થીઓ સાથે હાસ્યની છોળો ઉડાડી.
તક્ષશિલા સંકુલ ખાતે ડો. જગદીશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓ સાથે સાક્ષાત્કાર કર્યો હતો. તક્ષશિલા સંકુલના ટ્રસ્ટી રમેશ કૈલાએ ડો. જગદીશ ત્રિવેદીનું મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. ડો. જગદીશ ત્રિવેદીએ સ્વામી રામતીર્થનુ ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને ભણવા માટે હાકલ કરી હતી. નાનપણમાં દાળભાત જમવાના રુપિયા ન હતા પણ શિક્ષણ મેળવ્યા પછી રામતીર્થ કેવી રીતે મહારાજા જેટલી તેજસ્વીતા પ્રાપ્ત કરી હતી તે સમજાવતા કહ્યું કે જહાજમાં રાજા બેઠા તો રામતીર્થ ઉતરી જતા બોલ્યા હતા કે એક જહાજમાં બે મહારાજા ન રહી શકે. આ સાથે પતંજલિ નર્સિંગ સ્કુલ ખાતે ઝાલાવાડના પ્રસિદ્ધ કવિ જશુભાઈ મહેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કરનાર જયમંત દેવનો અલ્પેશ સિણોજીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.
પાર્થ વેલાણી
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો