Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જૂનાગઢ ના વેપારીએ 60 હજાર રૂપિયા વ્યાજે લીધેલા અને 10 % , મુદ્દલ અને વ્યાજ સહિત 82 હજાર ચૂકવી દેવા છતાં,વેપારીને વ્યાજખોરો ત્રાસ આપતા હતા ધણીવાર વ્યાજખોરોના ત્રાસથી આખા કુટુંબો જિંદગી ગુમાવતા હોય છે,અરજદારને વ્યજખોરોના ચુન્ગલ માંથી બચવતી જૂનાગઢ પોલીસ

Share to




💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને *કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી* આપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે….._

💫 _જૂનાગઢ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં રહેતા અને નાનો વેપાર કરી, પોતાનું ગુજરાન ચલાવતા રમેશભાઈ (નામ બદલાવેલ છે…) જરૂરીયાતના કારણે પોતાના ઓળખીતા વ્યક્તિ પાસેથી 60 હજાર રૂપિયા વ્યાજે લીધેલા અને ને કોરા ચેક પણ આપેલા હતા. 10 % વ્યાજ દર મહિને રૂપિયા ચૂકવતા ચુકવતા, મુદ્દલ અને વ્યાજ ચૂકવી દીધા હતા. યુવાન વેપારી દ્વારા 60 હજારના 82 હજાર ચૂકવી દેવા છતાં, યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. વ્યાજ ચુકવવાની લ્હાયમાં વેપાર પણ કરી શકતા ના હતા. વ્યાજખોરોનું મુદ્દલ તો એમના એમ જ રહ્યું, પણ વ્યાજને પહોંચી શકાતું ન હોતું. યુવાન દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત હજુ પણ ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની હાલત કફોડી હોવા છતાં, બને ચેક મનઘડંત રકમ લખી, બેંકમાં નાખી, ચેક રિટર્ન કરાવી, નામદાર કોર્ટમાં ચેક રિટર્ન ની બે અલગ અલગ ફરિયાદ પણ કરી નાખી હતી. વધુમાં યુવાનના ઘરે જઈને તેમજ મોબાઈલ ફોન ઉપર ધમકીઓ આપી, હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, અરજદાર વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે, તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ના હોઈ, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ હતી. અરજદાર પાસે *કોઈ રસ્તો ના હોઈ,* પોતાના કુટુંબીજનો સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને અરજદાર રૂબરૂ મળી, *આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ* હતું……_

💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા સ્ટાફના હે.કો. નીતિનભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ, પરેશભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, વ્યાજખોરને બોલાવી, વ્યાજ જોઈએ કે જેલ જોઈએ…? એવુ શાનમાં સમજાવતા, વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું. હવે કોઈ રૂપિયા લેવાના થતા નથી અને નામદાર કોર્ટમાં ચેક રિટર્ન ના કરેલ ખોટા કેસ પણ પાછા ખેંચી લેવાની બાહેંધરી આપી, તેવું લખાણ પણ આપી ગયેલ હતા. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને મદદ કરવા બદલ, પોતાના કુટુંબ સાથે રૂબરૂ મળી, *જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો. પિતા પુત્ર દ્વારા ખુશ થઈને *જો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યક્ત* કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ અરજદારને હવે પછી આવા લોકો પાસેથી બિન જરૂરી રૂપિયા નહીં લેવા અને પોતાના કુટુંબને મુશ્કેલીમાં નહીં મુકવા સલાહ આપી હતી…_

💫 _હાલના સાંપ્રત સમયમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *લોક ડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરી નો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમ* ના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી, *સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્વ* નિભાવી, અરજદારની જિંદગી બચાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે…

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top