October 21, 2024

નેત્રંગમાં BTP પાર્ટીની આગેવાનીમાં આદિવાસી સમાજ એક જૂથ થઈ આવેદનપત્ર આપ્યુ: પીડિતાને ન્યાય આપો, નરાધમને ફાંસીએ લટકાવો અને હાય રે ભરવાડ, હાય હાયના નારા સાથે રેલીવેપારીઓ અને નાના ધંધાદારી લોકોએ સર્મથન આપી દુકાનો બંધ રાખી

Share to


દૂરદર્શી ન્યુઝ નેત્રંગ
વિજય વસાવા

નેત્રંગ પંથકમાં સગીરા પર થયેલાં દુષ્કર્મની ધટનના ધેરા પ્રત્યાઘાતો અને પડઘા પડ્યા હતા. BTP પાર્ટી અને આદિવાસી સમાજના વડીલો પીડિતાના સમર્થનમા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર નેત્રંગ મામલદારને આપ્યુ હતું. જ્યાં ભોગ બનનાર સગીરાનો કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી માગ કરી હતી.
BTP અને BTTSના આગેવાનો આદિવાસી સમાજના અગ્રણીઓ અને સામાન્ય જનતા પણ આ રેલીમાં જોડાઈ હતી. BTPની ઓફિસથી મામલતદાર કચેરી સુધી પીડિતાને ન્યાય આપો, નરાધમને ફાંસીએ લટકાવો અને હાય રે ભરવાડ, હાય હાયના નારા સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જયારે બીજી બાજુ નેત્રંગ તાલુકાના બજારો પણ સજજડ બંધ રહ્યાં હતાં. વેપારીઓ અને નાના ધંધાદારી લોકોએ સર્મથન આપી દુકાનો બંધ રાખ્યા હતાં.






નેત્રંગ પંથકમાં દુષ્કર્મની ધટનના ધેરા પ્રત્યાઘાતો અને પડઘા પડ્યા હતાં. જેનાં અનુંસધાને આજે દાહોદ બંધ પાળશે. આ ઉપરાંત આદિવાસી પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. જેમાં પીડિતાના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાં આવે અને નરાધમને સમાજમાં દાખલો બેસે એવી સજા થવી જોઈએ.
– BTP પ્રમુખ વિજય વસાવા




એક તરફ નેત્રંગ પંથકમાં દુષ્કર્મ ની ધટના બને છે અને તેના સમર્થનમાં તમામ લોકો એકજૂથ થયાં છે ત્યારે એક દિવસે યુપીની ચૂંટણીમાં બીજેપીને જીત મેળવતા વિજયઉત્સવ મનાવ્યો હતો. ત્યારે લોકોમાં ગણગણાટ સાથે રોષ જોવા મળ્યો હતો. કે, સમાજની સગીરા ઉપર દુષ્કર્મ આચવામાં આવે છે બીજી તરફ ટાઉનમાં ગ્રામપંચાયતથી લઈ રાજ્ય સરકાર સુધી બીજેપીની સરકાર છે છતાં બીજપીના કોઈ નેતા કે આગેવાને એની દરકાર લીધી નોહતી. અને વિજયોત્સવ મનાવ્યો હતો. ગુજરાતના બીજા કોઈ ખૂણામાં કોઈ ધટના બને તો આ સરકાર વતી આવેદનનો મારો ચલાવવા આવે છે પણ આજે તાલુકાની પ્રજામાં દુષ્કર્મની ધટનાના પડઘાં હજુ શાંત પણ નથી થયાં ત્યાં સ્થાનીક હોદેદારો વતી યુપીની ચૂંટણીમાં ભાજપની જીતના ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો.


આદીવાસીઓને સરકાર ફ્કત વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે.
પરેશ વસાવા પૂર્વ સિચાઇ ચેરમેન
આદિવાસી સમાજની સગીરા ભોગ બની ત્યારે બીજેપી નેતાઓ ક્યાં ગયા ? દરેકની દરકાર રાખવાની વાત કરતા નેતા સગીરાના કુટુંબને સાંત્વના આપવા તો આવતાં. ત્યારે હવે સમજવાની જરુર છે કે આદીવાસીઓને સરકાર ફ્કત વોટ બેંક તરીકે ઉપયોગ જુએ છે. તમારા સાથે થયેલા કોઈ પણ પ્રકારના અત્યાચાર થાય પણ એમને કોઈ ફર્ક પડતો નથી એ સાબિત થાય છે.


Share to

You may have missed