(ડી.એન.એસ)કોડીનાર,તા.૦૭
કોડીનાર તાલુકાના ખેડૂત રાયસિંહ ભાઈ પાંચ વીઘા જમીન ધરાવે છે.આ વર્ષે રવિપાકમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક હવે તૈયાર થવા જઈ રહ્યોં હતો. પરંતુ શેઢા પરથી પસાર થતી વીજલાઈનમાંથી તણખો પડતા આગ ભભૂકી ઉઠી હતી જેમની જાણ આસપાસના ખેડૂતોને થતા દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી છે. ખેડૂત રાયસિંહભાઈ પણ આગ બુઝાવતી વેળાએ દાઝી ગયા હતા અને સારવાર અર્થે કોડીનાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જાે કે અઢી વિઘાના ઘઉં બળીને ખાક થઈ ગયા હતા આ આગની ઘટનાને લઈ વીજ તંત્ર ઉપરાંત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.આ ખેડૂતને તંત્ર દ્રારા વળતર ચુકવવામાં આવે એ જરૂરી છે.
More Stories
જૂનાગઢ ના કેયુરભાઈ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધીને અરજદારને પરત કરી
પોરબંદર જીલ્લા રાણાવાવ તાલુકાના વડવાળા તુંબળતોલનેશ ”પ્રોહી બુટલેગર” રામા મુળુભાઈ ચાવડા ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડામાં વિકાસ સપ્તાહ અંતર્ગત આયકોનિક સ્થળ મુલાકાતનું તા. 11/10/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું