Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

તા.૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ૧૮૧ મહિલા અભયમ થકી મહિલા સુરક્ષા અને સશક્તિકરણમાં ગુજરાત ‘આદર્શ રાજ્ય’રાજ્યમાં ૧.૬૫ લાખથી વધુ મહિલાઓએ જરૂરી મદદ અને માર્ગદર્શન મેળવ્યાસુરત જિલ્લાની ૧૧૯૫૭ મહિલાઓને ભયમુક્ત કરતી ‘અભયમ ટીમ’

Share to


—-
સુરત:સોમવાર:- દેશ અને દુનિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ મહિલાઓને સામાજિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને અન્ય રીતે મદદ કરતી હોય છે. સરકારની બહુ જૂજ સંસ્થાઓ હોય છે જેઓ મહિલાઓના અધિકારો અને તેમના ઉત્થાન માટે કામગીરી કરતી હોય. પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકારી એવી ૧૮૧ મહિલા અભયમ સંસ્થા છે, જે આગવી કામગીરી કરીને મહિલાઓને તમામ પ્રકારના ભયથી મુક્ત કરવામાં હંમેશા અગ્રેસર રહી છે.
વર્ષ ૨૦૨૧ની વાત કરીએ તો રાજ્યમાં ૧.૬૫ લાખથી વધુ મહિલાઓએ ૧૮૧ અભયમની મદદ લીધી છે. મહિલાઓના હકારાત્મક જીવન માટે અને તેમની સમસ્યાનો હલ માટે મહિલા અભયમ હમેશા ખડે પગે રહી છે. એકલા સુરત જિલ્લાની વાત કરીયે તો વર્ષ-૨૦૨૧માં ૧૧૯૫૭ મહિલાઓએ અભયમની મદદ મેળવી મુશ્કેલીમાંથી બહાર આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં વર્ષ-૨૦૨૧ દરમિયાન જરૂરિયાતમંદ મહીલાઓ તરફથી ૧૧૯૫૭ સર્વિસ કોલ મળ્યાં હતા, જે પૈકી સ્થળ પર રેસક્યુ કરી ૨૬૮૪ મહીલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવની કામગીરી કરવામાં આવી હતી. જયારે પારિવારિક વિખવાદમાં ૧૬૮૨ કેસમા સમાધાન અને અસરકારક કાઉન્સેલિંગ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય કેસમા ઘરેલું હિંસાના ૫૭૩૭, લગ્નેત્તર સબંધના ૯૬૨, માનસિક હેરાનગતિ ૧૦૫૨, શારીરિક પીડા પહોંચાડવી કેસના ૨૧૮, આત્મહત્યાના વિચારોમાંથી મુક્ત કરાવવાના ૪૪, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના ૨૪૭, કામકાજના સ્થળે જાતિય સતામણીના ૫૨, ખોવાયેલ વ્યક્તિને પરિવાર સુધી કે આશ્રય અપાવવાના ૭૩ અને અન્ય પ્રકારના કેસોમાં સુખદ સમાધાનકારી અને સરકારશ્રીની અન્ય એજન્સીઓ સાથે જોડાણ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું છે.
રાજ્યની મહિલાઓને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના અદ્યતન ટેકનોલોજી સાથે અભયમ સેવાઓ ત્વરિત પિડીત મહિલા સુઘી પહોચાડે છે. અત્યાર સુઘી સ્માર્ટ મોબાઈલ ૧,૧૪,૭૮૩ મહિલાઓએ પોતાનાં સ્માર્ટ મોબાઈલમાં અભયમ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને ૬૦૦૦ મહીલાઓએ જરૂરિયાતના સમયે સંપર્ક કરીને મદદ મેળવી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી ૯,૭૬,૦૦૦ સર્વિસ કોલથી મુશ્કેલીમાં મુકાયેલી મહીલાઓને સ્થળ પર પહોચી અભયમ રેસ્કયુ દ્વારા મદદ, માર્ગદર્શન અને બચાવ કરાયો છે.
ચિફ ઓપરેટિંગ ઓફિસર, GVK EMRI શ્રી.જશવંત પ્રજાપતિએ રાજયના ૬.૩ કરોડ ગુજરાતીઓને મહિલા દિનની શુભકામના આપતા જણાવ્યું કે “ગુજરાત સરકાર દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં ખુબ મહત્વની સેવા સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.” વધુમાં તેમણે ગુજરાત સરકારનો આભાર અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઈન તરીકે પ્રસ્થાપિત થઇ છે, તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બન્યું છે.”
 કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
 મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
 શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
 લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
 જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
 કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
 માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
 આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top