આજે વધુ એક વાર ભારતને તેના વીર સપૂતો ગુમાવાનો વારો આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં મા ભોમની રક્ષા કાજે લડતાં જવાનોએ શહાદત વહોરી છે, શહીદ થતાં થતાં પણ પાકના નાપાક આતંકવાદીઓને મચક આપી નહોતી. કઠુઆના માચેડી એરિયામાં થયેલા આર્મી વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ થયાં છે. સેનાના 9 કોર્પ્સના અધિકારક્ષેત્રમાં આર્મીની ગાડી પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, આતંકી હુમલા બાદ આતંકવાદીઓ ભાગી નીકળ્યાં હતા.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ખાતમા અભયાન
પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં જેમ જેમ તેમની આતંકી ગતિવિધિઓ વધારી રહ્યાં છે તેમ તેમ તેમનો વધારેને વધારે ખાતમો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોના મોટા સફાઈ અભિયાનમાં ઘણા આતંકીઓ માર્યાં ગયા છે તો સામે પક્ષે આતંકવાદીઓ પણ ભુરાયા થયાં છે અને આડેધડ હુમલાને અંજામ આપી રહ્યાં છે.
રાજૌરીમાં પણ આતંકી હુમલો
ગઈ કાલે રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.
જમ્મુના કઠુઆમાં સેનાની ગાડી પર હુમલો, ગ્રેનેડ ફેંકીને ભાગ્યાં આતંકીઓ, બે જવાન ઘાયલ
ચાર આતંકવાદીઓ ઠાર
આજે કુલગામમાં પણ સુરક્ષા દળોએ બંકરમાં છુપાયેલા ચાર આતંકવાદીઓને ઠાર માર્યાં હતા.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો