સિંચાઈના પાણી બાબતે પડતી મુશ્કેલીઓ દુર કરવા બાબતે ઝઘડિયા,વાલીયા,અને નેત્રંગ તાલુકાના ધરતીપુત્રો દ્વારા ઝઘડિયાના ધારાસભ્યને રજુઆત કરવામાં આવી હતી. મોટી ભમરી ખાતે કરજણ જળાશય ઉધવહન પરિયોજના હેઠળ ખેડૂતોને સિંચાઈના પાણીની લાઈન લઇ જવામાં તકલીફ પડી રહી છે. જે અનુસંધાને મોટી સંખ્યામાં ધરતીપુત્રોએ ધારાસભ્ય રજુઆત કરી હતી. ધરતીપુત્રોની રજુઆત સાંભળી મોટી ભમરી, પલસીની લાઈન પર ચાલુ કામનું રૂબરૂ નિરક્ષ્ણ કરી પ્રશ્નોના હલ માટે ખેડૂતો સાથે સ્થળ પર રહી ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કરી નેત્રંગ, ઝગડીયા, વાલિયા તાલુકાના આજુ બાજુ ગામના વિસ્તારના ખેડૂતો ના પ્રશ્નો નો હલ કર્યો હતો. ધારાસભ્ય દ્વારા ધરતીપુત્રોની રજુઆત સાંભળી નિરાકરણ લાવતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,