Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે વિતરણ

Share to

 નર્મદા જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી કુલ-૯૯,૩૪૦ કુટુંબોને  થઇ રહેલું અનાજ વિતરણ

સસ્તા અનાજની દુકાનેથી ઘંઉ અને ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે,જેથી અમને પણ આર્થિક રીતે ઘણી રાહત રહેશે.    -પ્રતાપપરા ગામના લાભાર્થી શ્રીમતી લીલાબેન વસાવા ઉવાચ

         રાજપીપલા, શુક્રવાર :-  કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને  જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે નર્મદા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગીય જરૂરીયાતમંદ પરિવારો અનાજ પુરવઠાથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણની દેખરેખ હેઠળ નાંદોદ તાલુકાના વિરપોર, તરોપા, જીઓરપાટી ગામ સહિત જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી  તમામ NFSA ના લાભાર્થીઓને નાંદોદ તાલુકામાં-૨૫,૫૧૨, દેડીયાપાડામાં-૨૮,૭૫૩, સાગબારામાં-૧૮,૫૬૭, તિલકવાડામાં-૧૧૦૩૦ અને ગરૂડેશ્વર તાલુકામાં-૧૫,૪૭૮ કુટુંબો સહિત કુલ ૯૯,૩૪૦ કુટુંબોને માહે. મે, ૨૦૨૧ દરમિયાન દર માસે  રાષ્ટ્રીય  અન્ન સલામતી  કાયદા હેઠળ સમાવિષ્ઠ  લાભાર્થીઓને  મળવા પાત્ર રેગ્યુલર અનાજ તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વ્યક્તિદિઠ ૩.૫ કિ.ગ્રા ઘઉં, ૧.૫૦૦ કિ.ગ્રા.ચોખા વિનામુલ્યે લાભાર્થીઓને વિતરણ  કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ માહે. જૂન માસ દરમિયાન પણ ઉક્ત રીતે જ અનાજનું વિતરણ કરાશે. 

            અત્રે એ ઉલ્લેખનીય છે કે,  અંત્યોદય કુંટુંબોને ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૧ કિગ્રા તુવેરદાળ, ૧ કિલો ખાંડ જેમાં ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૩ થી વધુ વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ રાહત દરે આપવામાં આવી રહ્યું છે. ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ રાહત દરે ફાળવવામાં આવે છે. જયારે અગ્રતા ધરાવતા કુંટુંબને વ્યક્તિ દીઠ ૩.૫૦ કિલો ઘઉં, ૧.૫૦ કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો તુવેરદાળ રાહત દરે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ બીપીએલ કાર્ડ ધારક કુંટુંબોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ અને ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ  દર માસે રાહત દરે આપવામાં આવે છે.

                  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામના સસ્તા અનાજની દુકાનદાર સંચાલક શ્રી રમેશભાઇ માછીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે  લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારશ્રી દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”  હેઠળ NFSA  હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને  ઘઉં અને ચોખાનું વિના મુલ્યે  વિતરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, લાભાર્થીઓ જ્યારે અનાજ લેવા  આવે ત્યારે માસ્ક  પહેરીને આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું

            નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપરા ગામના નીચલા ફળીયાના  લાભાર્થી શ્રીમતી લીલાબેન મોવાસીભાઇ વસાવાએ કહ્યું હતું કે,  અમારા ગામની  સસ્તા અનાજની દુકાનેથી ઘંઉ અને ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે તેની સાથોસાથ અમને દર મહિને મળવાપાત્ર મીઠું, તુવેરદાળનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી અમને પણ આર્થિક રીતે ઘણી રાહત રહેશે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top