વાલિયા તાલુકાના વડ ફળીયા ગામના જબૂગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજનાબેન અરવિંદભાઈ વસાવા ગત તારીખ-27મી માર્ચના રોજ રાતે 10 કલાકે ઘરે હતી.તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી.જે બાદ થોડીવારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમ ગઈ હતી.અંદર રહેલ એસિડ લોટા નાખી અડધો લોટા જેટલું એસિડ પી ગઈ હતી.જે બાદ તેણીને ઉલટી અને ગભરામણ થતા તેણે બુમરાણ બચાવતા પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના રોજ 11:30 કલાકે કરુણ મોત નીપજ્યું હતું.
જે યુવતીના હાથમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી.જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતાપિતા માર મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી.જ્યારે પ્રેમી નરેશ નામના ઇસમે તું મરી કેમ નથી જતી તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબુર કરી હતી.બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો