September 11, 2024

*અબડાસા તાલુકાના ગઢવાડા વાડી વિસ્તાર ના શ્રી રામનગરી મધ્યે શ્રી અંચલેશ્વર મહાદેવ શિવાલય પર ગામ વિંજાણ ના જાડેજા ગીરીરાજસિંહ દિલાવરસિંહજી ના શ્રી શ્રાવણ માસ શ્રી અનુષ્ઠાન ને અનુલક્ષી અંતર્ગત સવારના શ્રી રુદ્રાભિષેક તેમજ બપોરે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું.*

Share to

*લોકેશન ગઢવાડા*

*ઉપરોક્ત આ ધાર્મિક કાર્યક્રમ શ્રી રામનગરી વાડી વિસ્તાર ના શ્રી દશનામ ગોસ્વામી સમાજ શ્રી જાટ ચૌધરી સમાજ તેમજ શ્રી શિખ સમાજ અને શ્રી રામનગરી ના યુવા મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.**જેમાં સનાતન ધર્મના સંત સાધુજનો માં કમલદાસજી બાપુ અકરી… નરોતમ ગીરીબાપુ કંઢાય… ચરણદાસ બાપુ મધ્ય પ્રદેશ… શંકર ગીરીબાપુ રોહા… તેમજ શ્રીદેવી બા કોઠારા સહિતના સંતજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અનિરુદ્ધસિંહજી કચ્છ રાજવી પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.**આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોમાં પરસોતમ મારવાડા જિલ્લા પંચાયત સદસ્ય… કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આજુબાજુના ગામોના સરપંચો અને સામાજીક આગેવાનો તથા અબડાસા તાલુકાના કનકપર, વિજાણ, ખીરસરા વિજાણ , કોઠારા, વાંકુ, ખુઅડા, બોહા જેવા વિવિધ ગામોના સનાતનની ધર્મ પ્રેમી ભાવિકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા**તેમજ ગઢવાળા ગામના શ્રી મારવાડા સમાજ દ્વારા ગીરીરાજસિંહ સામૈયુ તેમ જ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સર્વે ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો ધાર્મિક સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.**સમગ્ર આયોજન શ્રીરામનગરી યુવા મિત્ર મંડળ અને શ્રી દશનામ ગોસ્વામી સમાજ હરિયાણા પંજાબ દ્વારા કરવામાં આવ્યું હતું**સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed