રાજપીપલા, બુધવાર :- સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ગુજરાતના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. વખતસિંહ ગોહિલે તેમના જીવન પરિચય તથા સમાજશાસ્ત્રમાં તેમને આપેલા પ્રદાન અંગે વ્યક્તવ્ય આપ્યું હતુ. ડો. ગોહિલે તેમના સંયુક્ત કુટુંબ વિશેના મહુવાનો અભ્યાસ, ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા, સામાજિક પછાતપણાનો માપદંડ, શિક્ષણના સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં આઇ.પી. દેસાઈના અભ્યાસો, પ્રબુદ્ધ વર્ગ, આદિવાસીઓમાં શિક્ષણ અને વિકાસ અંગે તથા તેમના ગુણવત્તાસભર પુસ્તકો અને અનેક સંશોધનો અંગે કોલેજના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને પરિચય કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક સુરેશભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો