.*દૂરદર્શી ન્યૂઝ માંડવી સુરત.*
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમ આવ્યો છે. આ ડેમના હેઠવાસમાં પાણીના વહેણમાં આજરોજ સાંજે 4.45 કલાકે બે વ્યક્તિ,
(1) પરેશભાઈ માધુભાઈ ચૌધરી ઉ.વ.42 રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી જી.સુરત તથા
(2) અજીતભાઈ વનસીભાઈ ચૌધરી ઉ.વ.પર રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી જી.સુરત માછલી પકડવા ગયેલા હતા.ઉપરોક્ત બન્ને વ્યક્તિ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી શોધખોળ કરતા પટેશભાઇ માધુભાઇ ચૌધરીની લાશ મળી આવી છે. જ્યારે અજીતભાઈ વનસીભાઇ ચૌધરીની લાશની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું માંડવી તાલુકાના મામલતદારના રીપોર્ટ પરથી જાણવા મળ્યું છે.
More Stories
ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે કપરાજે આધેડ પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા
અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામે સમસ્ત કથીરીયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજી મંદિરે 31 માં પાટોત્સવ અને યજ્ઞ નું ભવ્ય આયોજન તારીખ 9 1124 ના રોજ કરવામાં આવશે
ઝગડીયા તાલુકામાં પોલીસ નોંધણી નહીં કરાવનાર 16 મકાન માલિકો વિરુદ્ધ ગુનો નોંધતી ઝગડીયા તાલુકા પોલીસ…