ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મુરલીધરન, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના વરદ્હસ્તે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી AGR-2 યોજનાનો શુભારંભ તેમજ NCOL દ્વારા નિર્મિત ‘ભારત ઓર્ગેનિક આટા’નું લોન્ચિંગ અને દિલ્હી ખાતે અમૂલ ડેરીના સૌપ્રથમ ઓર્ગેનિક શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મહાનુભાવો દ્વારા ખેડૂતોને નેનો ખાતરની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
#DNS news