જુનાગઢ જીલ્લો દસ તાલુકો ધરાવતો જિલ્લો છે જેમાં મોટાભાગના તાલુકાઓમાં હીરાના કારખાના આવેલા છે જેમાં ભેંસણની અંદર 70 જેટલા કારખાના આવેલા છે જેમાં આજુબાજુના 50 જેટલા ગામડાઓ માથી રત્ન કલાકારો પોતાનું પેટિયું રળવા માટે હીરા ઘસવા આવે છે જેમાં હાલ અત્યારે મંદીના કારણે 20 થી વધારે કારખાનામાં તાળા લાગી ચૂક્યા છે અને હજુ પણ આવતા સમયમાં કેટલા કારખાના બંધ થાય એ કઈન શકાય છેલ્લા દોઢ વર્ષથી મંદિનો માહોલ ચાલી રહ્યો હોય જેની અસરને કારણે કારખાનામાં 50% હીરા મળતા હોય એટલે કે સવારથી સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નો ટાઈમ છે જેમાં માત્ર બે વાગ્યા સુધી જ કારીગરોને હીરા મળે છે એટલે એક કારીગર 20,000 નું કામ કરતો હતો એ માત્ર 8 થી 9000 નું કામ કરી રહ્યો છે એટલે 50% થી પણ ઓછું કામ રત્ના કલાકારોને થાય છે મોટાભાગના રત્ન કલાકારો હીરા ઉપર પોતાનું જીવન નિર્ભર કરતા હોય જેને લઈને પૂરતા પ્રમાણમાં કામ ન મળતા રત્ન કલાકારોને રોજી રોટી ઉપર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાણી છે રશિયા યુક્રેન તેમજ ઇઝરાઇલ જેવા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે જેનેકારણે હીરાનો કાચો માલ અને પોલીસ થયેલા માલની લે વેચ ન થવાને કારણે સુરત ભાવનગર અમદાવાદ જેવા હીરાના હબ ગણાતા મેગા સીટોઑ પણ મંદિના માહોલમાં સપડાયા છે ત્યારે ગુજરાત ના રત્ન કલાકારો ને રોજી રોટી નો સવાલ ઉભો થયો છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો