Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

આગામી ૦૪ ઓગસ્ટ ૨૦૨૪ નાં ૨૪:૦૦ કલાક સુધી ૦૩ (ત્રણ) માસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Share to

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩ (૧ (બી) અન્વયે જાહેરનામું

આપાતકાલીન સેવા માટેનાં વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ


ભરૂચ-  મંગળવાર-  ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. નર્મદામૈયા બ્રિજ ટ્રાફીકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ રાત્રીના સમયે ખાનગી મોટા વાહનો જેવાં કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો નર્મદામૈયા બ્રીજ પરથી પસાર થવાને કારણે નાના -મોટા અકસ્માતોમાં ખુબ જ વધારો થવા પામ્યો હતો.

          ભરૂચ જીલ્લાનાં સામાન્ય નાગરીકો દ્વારા વિડીયો તથા ફોટા દ્વારા સદર બાબતે ફરીયાદ કરવામાં આવી હતી. નર્મદામૈયા  બ્રિજ  ભરૂચ-અંક્લેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી ભરૂચ- અંક્લેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. એ.બી.સી. સર્કલથી નર્મદામૈયા બ્રીજ તથા અંક્લેશ્વર તરફથી અવર-જવર કરતાં વાહનો/ મોટા વાહનો જેવા કે લક્ઝરી, બસો, ટ્રકો વિગેરેનાં કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી. સર્કલથી નર્મદામૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પ્લેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી,  ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરનાં કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલ છે. જેથી નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતનાં બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતો હોય આમુખ-૧ નાં જાહેરનામાથી તા. ૦૪/૦૫/૨૦૨૪ સુધી નર્મદા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે  વાહનોની અવર- જવર ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું  પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને તેની મુદ્દત વધારવી જરૂર જણાતી હોય નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
      તુષાર ડી. સુમેરા જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩ (૧)
(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૦૫/૦૫/૨૦૨૪ નાં રોજ ૦૦:૦૦ કલાકથી તા.૦૪/૦૮/૨૦૨૪ નાં રોજ ૨૪:૦૦ કલાક સુધી ૦૩ (ત્રણ) માસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનો જેવાં કે, ખાનગી બસ, તમામ પ્રકારનાં ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરોની (ટુ વ્હીલર, શ્રી વ્હીલર, ફોર વ્હીલર કાર, શાકભાજી વહન કરતાં નાના લોડીંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલ નાના લોડીંગ વાહનો સિવાયનાં તમામ વાહનો) ની અવર-જવર પર પ્રતિબંધ મુકવા આથી હુકમ કરવામાં આવે છે.

       વધુમાં જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેનાં વાહનો જેવાં કે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રીગેડનાં વાહનો તેમજ એસ.ટી. બસોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.
    આ જાહેરનામાનાં આદેશનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની એક અખબારીયાદીમાં જણાવાયું હતું.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top