October 17, 2024

નર્મદા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી નર્મદા ના પ્રમુખ

Share to

પ્રતિનિધિ દૂરદર્શી ન્યુઝ:નર્મદા

આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મહિલા મોર્ચા ના પ્રમુખ સરોજબેન તડવી સહિત હોદ્દેદારો દ્વારા પીડિત પરિવારની મુલાકાત લઇ દુઃખ વ્યક્ત કરી પીડિત ને ન્યાય અપાવવા માટે ગમે તે કરી છૂટવાનો નિર્ધાર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો અને બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરનારા ભાજપના નેતાઓ દ્વારા જ આવા દુષ્કૃત્યો કરવામાં આવી રહ્યા છે, જેથી આદિવાસી સમાજની લાગણી દુભાઇ છે તેથી પીડિત પરિવારને ન્યાય મળી રહે તે માટે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી દુષ્કર્મના આરોપી સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને ઝડપથી તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તે જોરદાર માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.


Share to

You may have missed