ઈકરામ મલેક:રાજપીપળા
નર્મદા જિલ્લાની સ્થાપના ને 25 વર્ષ થયાં છતાં જિલ્લા ને મળવા પાત્ર કચેરીઓ અને અન્ય પાયા ની સુવિધાઓના વલખાં છે. ત્યારે 2500 કરોડ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પણ રાજપીપલા નગર ને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો મા હમેશા બાદબાકી જ કરાય છે, રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટ ના પ્રોજેકટ ને પણ કેવડિયા તરફ શિફ્ટ કરી દેવાની તૈયારીઓ થઈ જતા હવે નગર જનો નું સંયમ તૂટી રહ્યો હોય એમ લાગી રહ્યું છે….
આજે રાજપીપળા ના વિવિધ વેપારી મંડળ અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટર નર્મદા ને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા રજુ કરી હતી અને નગરના વિકાસને જે નોંધવાનો પ્રયાસ છે તેની સામે પોતાના વાંધાઓ રજૂ કર્યા છે.
રાજપીપળા નગર નર્મદા જિલ્લા નું કેન્દ્ર હોવા છતાં એને ભાજપ સરકાર દ્વારા પંચાયત લેવલે લાવી દેવામાં જિલ્લા ની નબળી નેતાગીરી સામે નગરના પ્રબુદ્ધ નાગરિકોએ બળાપો ઠાલવ્યો હતો.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે