દેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલાના કેસમાં ફરાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરી જામીન અરજી પર આજે રાજપીપળાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. જંગલની જમીનમાં ખેતી બાબતે વન વિભાગના કર્મીઓએ ખેડૂતનો પાક નષ્ટ કરી દીધો હતો. જેમાં ચૈતર વસાવાએમધ્યસ્થી કરી વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવ્યાં હતાં. એક વનકર્મીએ ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 10 જેટલા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર છે જયારે તેમના પત્ની સહિતના 3 આરોપીની ધરપકડ કરાઈ છે અને તેમની નિયમિત જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજે 20મીએ રાજપીપળાની કોર્ટમાં આગોતરા જામીન અરજી પર સુનાવણી કરાશે
More Stories
માંડવી તાલુકાના કાટકુવા ગામે કાચા ધરમાં શોર્ટ સર્કિટ ના કારણે આંગ લાગવાની ઘટના સામે આવી …..
નેત્રંગમાં રાજપારડી રોડ પર રહેતા વૃદ્ધ બાવાને ઘરના વાડામાં વાવેલા ગાંજાના છોડના 11.3 કિલો જથ્થા સાથે SOG એ ઝડપી પાડયો,
સુરત જિલ્લા એલ.સી.બીએ માંડવી બજાર માં આવેલ મોબાઇલની દુકાનમાં ચોરીના ગુનાના આરોપી ઓને ઝડપી પાડયા.