Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

મહુવા ખાતે પૂજ્ય મોરારી બાપૂ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ અર્પણ કરાયો.

Share to

જાણીતા ગુજરાતી કવિ શ્રી ઉદયન ઠક્કરને નરસિંહ મહેતા એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા.

પરમ પૂજ્ય મોરારી બાપૂ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ ૨૮ઓકટોબર શરદ પૂર્ણિમાના શુભ અવસરે મહુવા ખાતે જગતગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાણીતા ગુજરાતી કવિ શ્રી ઉદયન ઠક્કરને નરસિંહ મહેતા એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૩ ના વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિ ઉદયન ઠકકરને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમાં લઈને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના સાહિત્યિક પ્રદાનની વંદના કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ શરદ પૂર્ણિમાએ યોજાયેલા કાર્યક્રમમાં નરસિંહ મહેતા એવોર્ડ માટે ચયન સમિતિએ પસંદ કરેલા વર્ષ ૨૦૨૩ ના એવોર્ડ પ્રાપ્તકર્તા મૂળ ગુજરાત કચ્છના અને હાલ મહારાષ્ટ્ર મુંબઈ સ્થિત કવિશ્રી ઉદયન ઠક્કરને સાહિત્યનો સન્માનનીય ગણાતો નરસિંહ મહેતા એવોર્ડ મોરારી બાપુના વરદ હસ્તે આપી તેમના સાજન માજન પોંખણા કરવામાં આવ્યા છે. શ્રી જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ, શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા જિલ્લો, ભાવનગર ખાતે તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૩, ના રોજ આયોજિત એવોર્ડ અર્પણ સમારોહ સર્જક શ્રી ઉદયન ઠક્કરને શ્રી નરસિંહ મહેતા એવોર્ડ, શાલ, સૂત્રમાળા તથા રૂ.૧ લાખ ૫૧ હજારની સન્માન રાશિ એનાયત કરી એમના કાવ્યકર્મની વંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક મંગલ ઉદબોધન દ્વારા આશીર્વચન આપી સર્જક અને સર્જકના કર્મને શબ્દપુસ્પો વડે વધાવ્યાં હતાં. ગુજરાતી ભાષાના દિગ્ગજ અને ગણમાન્ય વિદ્વજનોની ઉપસ્થિતિમાં વિખ્યાત કવિશ્રી ઉદયન ઠક્કરને અપાયેલા ૨૦૨૩ના નરસિંહ મહેતા એવોર્ડથી મુંબઈ અને ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાતી સાહિત્યના એક સરળ,સૌમ્ય અને જીવંત કવિને પોખ્યાનો આનંદ જોવા મળી રહ્યો છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top