* ગ્રામજનોએ ભ્રષ્ટાચાર-ગોબાચારીની રજુઆત સાંસદને કરી
* ઉડતી ધુળની ડમરીથી રહીશો બેહાલ બનતા ઉગ્ર આંદોલનના અણસાર
નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે નેત્રંગ તાલુકાના રોડ-રસ્તાનું ભારે ધોવાણ થતાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી-ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચચાઁઇ રહ્યું છે.માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ ચોપડે બતાવી શકાય તે માટે પ્રા.સમારકામ કરાયું હતું.નેત્રંગ ગામમાંથી અંકલેશ્વર-બુરહાનપુર અને ઉમરગામથી અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી રાત-દિવસ ભારે હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ધમધમતો હોવાથી ઉડતી ધુળની ડમરીથી સ્થાનિક રહીશો બેહાલ બની ગયા છે.શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડતા નેત્રંગના પારસી ફળીયામાં રહેતા નકુલ મોદીની આગેવાનીમાં ગ્રાજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલીક ધોરણે રોડ-રસ્તા ઉપર પેચવકઁ કરવાની માંગ કરી હતી.પરંતુ કોઇપણ પ્રકારની કાયઁવાહી થઇ નહતી.તેવા સંજોગોમાં ગ્રામજનો ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાને ધારાદાર રજુઆત કરતાં સાંસદ જણાવ્યું હતું કે,નેત્રંગ-અંકલેશ્વર રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને તેના ઉપસ કડકહાથે કાયઁવાહી કરવાનું અધિકારીઓને સુચના આપી છે.ઉડતી ધુળની ડમરીથી રહીશો બેહાલ બનતા આગામી સમયમાં રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલનના અણસાર જણાઇ રહ્યા છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
*માનનીય કલેકટર શ્રી ની સૂચના મુજબ આવતીકાલે તમામ શાળાઓમાં રજા રાખવાની રહેશે અને શિક્ષણ કાર્ય ઓનલાઇન કરવાનું રહેશે શાળા સ્ટાફે શાળા ઉપર હાજર રહેવાનું રહેશે*🙏25/07/2024
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના (અગ્નિશસ્ત્ર- દેશી હાથ બનાવટની પિસ્ટલ -૦૧ (અગ્નિશસ્ત્ર) તથા મેજીન-૦૨ તથા કાર્ટીઝ નંગ-૧૪) ના ગુનામા વોન્ટેડ આરોપીને પકડી તેની પાસેથી બીજા કાર્ટિઝ નંગ-૦૭ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી ક૨તી અંક્લેશ્વર શહેર” બી” ડીવીઝન પોલીસ
ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો માંડવી તાલુકાનો આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા