

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામના કનૈયાલાલ પ્રવીણભાઈ રાવળ અગ્નિવીર માટે ટ્રેનિંગ મા જબલપુર (એમ.પી)ખાતે ૭ મહિનાની તાલીમ માટે ગયેલ હતા તેઓએ મેઘાલય ખાતે પોસ્ટિંગ મેળવ્યું અને ગ્રેનેડિયર તરીકે નોકરી મેળવી છે ત્યારે ગઈ કાલે તેઓ એ અગ્નિવીર તાલીમ પૂરી કરી માદરે વતન આવતાં ગ્રામજનો તેમજ રાવળ સમાજના આગેવાનો દ્વારા ઉમળકાભેર આર્મી જવાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું.આર્મી જવાનને ઘોડા ઉપર બેસાડી ડીજે ના તાલ સાથે ગામમાં ફેરવવામાં આવ્યા હતા.આ સમયે દેશભક્તિ ગીતો ગૂંજ્યાં હતાં. અગ્નિવીર યુવાનનું સ્વાગત જેઠોલી ગામના સરપંચ દિપકભાઈ પંચાલ તેમજ ગ્રામજનો
દ્વારા ઉમડકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
*બાલાસિનોર. સાગર ઝાલા*
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના