નેત્રંગ તાલુકાનાં નાનાજાંબુડા ગામમાં દારૂબંધી સહિત અસમાજિક પ્રવૃતિઓ બંધ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું ..
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકાનાં નાનાજાંબુડા ગામના સરપંચ અનિલ વસાવા સહિત ગ્રામજનો દ્વારા એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગામમાં કેટલાક અસમાજિક તત્વો દારૂ,જુગાર અને સટ્ટા બેટિંગ જેવી અસમાજિક પ્રવુતિઓ ચલાવી ગામના યુવાનોને ગેરમાર્ગે દોરી વ્યસનના રવાડે ચઢાવી રહ્યા છે.દારૂ જેવી બદી ના વ્યસન માં પડી યુવાનો મોત ને ભેટી રહ્યા છે.જેથી ગામમાં મહિલાઓ ભર જવાનીમાં વિધવા બની છે.ગામ માં આ અસમાજિક તત્વો દ્વારા ઝગડા કરી શાંતિ ને પણ જોખમ માં મૂકી રહ્યા છે.આવા વ્યસનને પગલે ગ્રામજનો મુસીબતમાં મુકાયા છે તેવામાં તંત્ર દ્વારા વહેલી તકે આ અસમાજિક પ્રવૃતિ બંધ કરાવવા સાથે પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે…. *વિજય વસાવા..નેત્રંગ.*
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે